લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સોમવારે કેન્દ્રીય કેબિનેટ મળી હતી જેમાં સવર્ણોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અનામત આર્થિક રીતે પછાત સવર્ણોને આપવામાં આવશે. 2018માં SC/ST એક્ટને લઈને જે રીતે મોદી સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ફેરવી નાંખ્યો હતો, તેનાથી સવર્ણો ખૂબ નારાજ થયા હતા.
ગુજરાતમાં કઈ-કઈ જ્ઞાતિઓના લોકોને આ અનામતનો લાભ મળશે
બ્રાહ્મણ,
નાગર બ્રાહ્મણ- નાગર,
વળાદરા બ્રાહ્મણ,
અનાવિલ બ્રાહ્મણ,
દિચ્ય બ્રાહ્મણ,
તપોધન બ્રાહ્મણ,
મેવાડા બ્રાહ્મણ,
મોઢ બ્રાહ્મણ,
ગુગળી બ્રાહ્મણ,
સાંચોરા બ્રાહ્મણ,
સારસ્વત બ્રાહ્મણ,
શ્રીમાળી બ્રાહ્મણ,
રાજપૂત- રજપૂત,
ક્ષત્રિય, બ્રહ્મ ક્ષત્રિય, ક્ષત્રિય પ્રભુ,
વાણિયા- વૈષ્ણવ શાહ,
ભાટિયા,
ભાવસાર, ભાવસાર(જૈન),
ન્યાયેતર જાતિ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ),
પૂજારા, કેર,
ખડાયતા, ખત્રી,
કળબી- કણબી,
લેઉવા પાટીદાર- પટેલ,
કડવા પાટીદાર- પટેલને 10 ટકા અનામતનો લાભ મળશે.
લાડ વાણિયા,
શ્વેતાંબર જૈન વાણિયા
દિગંબર જૈન વાણિયા
લોહાણા- લવાણા- લુહાણા
મંડાલી, મણિયાર
મરાઠા રાજપૂત ( મુળે ગુજરાતમાં સ્થાયી થયેલા )
મહારાષ્ટ્રિયન ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે અને મૂળે ગુજરાતમાં સ્થાયી થયેલા )
દશા- વીસા જૈન, પોરવાલ જૈન,
સોમપુરા- સોમપુરા બ્રાહ્મણ (ઘંટિયા સલાટ સિવાયના)
સોની- સોનાર- સુવર્ણકાર,
સિંધી (જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે)ને 10 ટકા અનામતનો લાભ મળશે.
સૈયદ, બલોચ, બાવચી, ભાડેલા (મુસ્લિમ), અલવી વોરા( મુસ્લિમ), દાઉદી વોરા, સુલેમાની વોરા, મુસ્લિમ ચાકી, જલાલી, કાગઝી (મુસ્લિમ), કાઝી, ખોજા, મલિક ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ), મેમણ, મોગલ, મોલેસલામ ગરાસિયા, મોમિન ( પટેલ ), પટેલ ( મુસ્લિમ ), પઠાણ, કુરેશી (સૈયદ), સમા, શેખ ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ), વ્યાપારી ( મુસ્લિમ ), અત્તરવાલા, પારસી, ખ્રિસ્તી (જે અનુસૂચિત જાતિમાંથી ધર્માતંરિત થયેલી નથી તે), યહૂદીને પણ અનામતનો લાભ મળશે.