અંકલેશ્વર,
અંકલેશ્વરમાં પેટ્રોલ પંપ પર લૂંટ કરેલીને પલાયન થયેલા આરોપીઓને પોલીસે પર્દાફાશ કર્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આ બન્ને આરોપીઓનું નામ સહીદ ભૂરો અને મોહમ્મદ જાવેદ છે.
જે ભરૂચના રહેવાસી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2 દિવસ પહેલા પેટ્રોલપંપ પર લૂંટ ચલાવવામાં આવી હતી. આ લૂંટમાં આરોપીઓએ એર ગનનો ઉપ્યોગ કરીને કાર અને રોકડની લૂંટ ચલાવી હતી.
જે બાદ ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથધરી હતી. તપાસ દરમિયાન પોલીસે આ આરોપીઓને પકડી પાાડ્યા હતા અને પૂછપરછ હાથધરી હતી. પૂછપરછ દરમિયાન આ આરોપીઓએ એક નહીં પણ અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.