મુંબઇ,
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલા પછી દેશભરના લોકો આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. આ દરમિયાન કૉંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ પણ પુલવામા હુમલા અંગે તેમનો અભિપ્રાય આપ્યો હતો. જો કે જેના પછી તેણે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. લોકોએ કપિલ શર્મા શોમાંથી બહાર નીકળવાની માંગ કરી હતી.નવજોત સિધ્ધુ કપિલ શર્માને તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી દરમિયાન શોમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે શોમાં હવે તેમની જગ્યાએ અર્ચના પૂરણ સિંહ જોવા મળશે.
શું કહ્યું હતું સિદ્ધુએ?
ભૂતપૂર્વ ક્રિકેટર-રાજકારણી સિદ્ધુએ મીડિયામાં કહ્યું હતું કે,ત્રાસવાદી કૃત્યો માટે સમગ્ર દેશ(પાકિસ્તાન)ને જવાબદાર કેવી રીતે માની શકાય. આ એક ખૂબ જ દુ:ખદ હુમલો હતો. હું આ હુમલાની નિંદા કરું છું. હિંસા કોઈ પણ રીતે વાજબી કહી શકાય નહીં. જે લોકોએ આ કર્યું છે તેઓએ સજા મળવી જોઈએ.
આ સાથે તેઓએ એમ પણ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુદ્દાઓને કાયમી ઉકેલ લાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે આવા લોકો (આતંકવાદીઓ) પાસે કોઈ દેશ, ધર્મ અને જાતિ નથી. આખા રાષ્ટ્ર (પાકિસ્તાન) ને થોડા લોકોના કારણે જવાબદાર માની શકાતું નથી.
સિદ્ધુની આ ટિપ્પણી લોકોમાં ભારોભાર નારાજગી જોવા મળી અને માંગ કરી હતી કે કપિલ શર્મા શોમાંથી બાકાત કરવામાં આવે. લોકોનો ગુસ્સો જોતા હવે કપિલ શર્મા શોમાંથી નવજોત સિદ્ધુને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.
ચેનલના સુત્રો કહે છે કે નવજોત સિદ્ધુએ જે નિવેદન કર્યું તેને હળવાશથી ના લેવાય.ચેનલ આ વિવાદમાં પડવા માંગતી નથી.કપિલ શર્મા શો માટે કામ કરતી ચેનલની ટીમે હવે નવજોતથી પોતાને અળગી કરી દીધી છે અને હવે અર્ચના પુરણ સિંહ સાથે શુટીંગ શરૂ કરશે.
આપને જાણવી દઈએ કે આ પહેલા પણ, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની શપથવિધિ સમારંભમાં પહોંચ્યા હતા. તે સમયે તે પણ તેઓને ટ્રોલ કરવામાં આવ્યા હતા.
ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકવાદી હુમલામાં 40 સૈનિકો મૃત્યુ પામ્યા છે. આ દુર્ઘટના સાથે આખો દેશ આઘાતમાં છે. દરેક વ્યક્તિ આ કાર્યની નિંદા કરે છે. ઉલ્લેખનીય છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી બોમ્બરે એસયુવીમાં વિસ્ફોટક ભરીને સીઆરપીએફ જવાનોની બસમાં ઘુસીને ધમાકો કર્યો હતો.