પંચમહાલ,
પંચમહાલના ખાણ ખનીજ વિભાગ દ્વારા પાવાગઢમાં આવેલા તળાવમાંથી સુજલામ સુફલામ યોજનાના અંતર્ગત ગેરકાયદેસર માટી ખનન ઝડપી પાડ્યુ હતુ.
આ કામગીરીમાં ઉપયોગમા લેવામાં મશીન સહિત અંદાજે કુલ રુપિયા ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, તંત્રએ ખનીજ માફીયાઓ સામે લાલ આંખ કરી છે.
પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં હાલ નવીન રોડ બની રહ્યો છે. આ રોડના ખાનગી ઇજારદાર દ્વારા ગેરકાયદેસર માટી ખનન કરાતું હોવાની ફરીયાદો જિલ્લા ખાણ ખનીજ વિભાગને મળી હતી. જેની તપાસ હાથ ધરાતા તલાવડીમાંથી માટીનુ ખનન થવાની જાણકારી મળી હતી.