અમદાવાદ,
જયંતી ભાનુશાળી હત્યા કેસમાં હત્યાનો આરોપ લાગેલ સિદ્ધાર્થ પટેલ રેલવે પોલીસ સમક્ષ હાજર થયો હતો, ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ પટેલ છબિલ પટેલનો પુત્ર છે અને બંને બાપ દિકરા પર જયંતી ભાનુશાળીની હત્યા કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, ત્યારે પોલીસે અત્યાસ સુધીમાં 5 આરોપીની ધરપકડ કરી લીધી છે. વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જયંતિ ભાનુશાળીની હત્યા કરવા માટે હત્યારાઓ ભચાઉથી ટ્રેનમાં બેઢા હતા. આ બંનેએ હત્યારાઓ જયંતિ ભાનુશાળી જે કોચમાં બેઠા હતા તેનો દરવાજો ખટખટાવ્યો હતો.
જયંતિ ભાનુશાળીએ જેવો દરવાજો ખોલ્યો કે તરત જ બંને આરોપીઓએ બળજબરીપૂર્વક કોચમાં ધસી આવ્યા તે સમયે ભાનુશાળી અને હત્યારા વચ્ચે થોડી મારામારી થઈ હતી અને ત્યાર બાદ હત્યારાઓએ ભાનુશાળીને ગોળીથી ઠાર માર્યા હતા. ફાયરિંગ બાદ હત્યારાઓ ટોલ ટેક્સના વિડીયોમાં દેખાયા હતા.