રાષ્ટ્રીય એકતાના પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આજે દેશભરમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાતના કેવડિયામાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લઈને પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. અમિત શાહે કહ્યું કે સરદાર પટેલનું જીવન દરેકને પ્રેરણા આપે છે.
અગાઉ અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે, “સરદાર પટેલનું જીવન આપણને જણાવે છે કે કેવી રીતે એક વ્યક્તિ તેમની મજબૂત ઇચ્છાશક્તિ, લોખંડી નેતૃત્વ અને અદમ્ય દેશભક્તિ સાથે દેશની તમામ વિવિધતાને એકતામાં પરિવર્તિત કરી શકે છે અને એક રાષ્ટ્રનું સ્વરૂપ આપી શકે છે. દેશના એકીકરણ સાથે, સરદાર સાહેબે સ્વતંત્ર ભારતનો વહીવટી પાયો નાખવાનું કામ પણ કર્યું.
सरदार पटेल का जीवन हमें बताता है कि कैसे एक व्यक्ति अपनी दृढ़ इच्छाशक्ति, लौह नेतृत्व और अदम्य राष्ट्रप्रेम से देश के भीतर की सभी विविधताओं को एकता में बदल कर एक अखंड राष्ट्र का स्वरूप दे सकता है। सरदार साहब ने देश के एकीकरण के साथ आजाद भारत की प्रशासनिक नींव रखने का भी काम किया। pic.twitter.com/QDLxDCodkd
— Amit Shah (@AmitShah) October 31, 2021
અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, “માતૃભૂમિ માટે સરદાર સાહેબનું સમર્પણ, વફાદારી, સંઘર્ષ અને બલિદાન દરેક ભારતીયને દેશની એકતા અને અખંડિતતા માટે પોતાને સમર્પિત કરવાની પ્રેરણા આપે છે.” અખંડ ભારતના આવા મહાન કારીગરની જન્મજયંતિ નિમિત્તે તેમના ચરણોમાં પ્રણામ અને તમામ દેશવાસીઓને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની શુભેચ્છાઓ.
ઉલ્લેખનીય છે કે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અમિત શાહ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા.