કાનપુર,
ઉત્તરપ્રદેશના મહોબામાં શુક્રવારના સમયે ઝાંસી મિર્ઝાપુર હાઇવે પર બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બન્ને બસોને કુરચા ઉડી ગયા હતા. આ ભયાવહ અકસ્માત બાદ બૂમરાણ મચી ગઇ હતી. આ ગંભીર અકસ્માતમાં એક ડઝનથી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલિસે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ઝાંસી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માતમાં બસ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઇ હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રોડવેઝના અધિકારી ઘટનાસ્થળ જવા માટે રવાના થઇ ચૂક્યા છે.