સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગરમાં ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી છે.સુરેન્દ્રનગરના કોઝવે રોડ પર અજાણ્યા શખ્સો દ્વારા એક બાઈક ચાલક પર ફાયરિંગ કરવામાં આવતા નાસભાગ મચી ગઈ હતી.ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા.બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે ફાયરિંગમાં ઘવાયેલા બાઈક ચાલક યુવાનને સારવાર અર્થે ખસેડાયો છે.ફાયરિંગ કોણે કર્યું ? કયા કારણોસર કર્યું? ફાયરિંગમાં ઘવાયેલ ઈસમ કોણ છે? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.પરંતુ આ ઘટનાને લઈને સમગ્ર સુરેન્દ્રનગરમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે.