દેશમાં બહુચર્ચીત અને સગા મા-બાપે જેની બરબરતા પૂર્વક હત્યા કરી હતી તે આયુષી તલવરની હત્યાને આજે બરોબર 11 વર્ષ થયા છે. પરંતુ લાગે છે કે નરાધમોની માનસીકતામાં કોઇ પણ પરિવર્તન નથી આવ્યું. આજે ફરી આવા જ એક કિસ્સાથી અમદાવાદ શહેર હચમચી ગયું. એક બાપે પોતાની 14 વર્ષની દિકરીનું શિયળ લૂંટતા અનેક પ્રશ્નો સાથે એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે સગા હોય કે સાવકો, પણ તે છે તો બાપ ને !!!
સભ્ય અને સંસ્કારી, વ્યાપારી ગુજરાતનાં આત્મા સમા અમદાવાદ શહેરનો આત્મા આજે તાર તાર થઇ ગયો જ્યારે કામંધતાની પરા કાષ્ઠા સમાન આ કિસ્સા સામે આવ્યો. અમદાવાદમાં પિતા-પુત્રીનાં સંબંધને લાંછન લગાડત આ કિસ્સામાં સાવકા પિતાએ પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની છે. અમદાવાદમાં માતા-પિતા, 3 બહેન અને એક ભાઈ સાથે રહેતી 14 વર્ષની દીકરી પર સાવકા પિતાએ માતાની ગેરહાજરીમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. સાવકો પિતા વારંવાર પોતાની દિકરીઓ સાથે શારીરિક અડપલાં તો કરતો જ હતો.
stop violence children and abuse in family concept
પરંતુ તેણે પોતાની દિકરીને હવસનો શિકાર બનાવવામાં સહેજ પણ લજ્જા ન આવી. સાવકો પિતાથી કંટાળીને પીડિતા અમદાવાદથી સુરત જતી ટ્રેનમાં સવાર થઇ ગઇ. ટ્રેનમાં બીજી મહિલાઓ દ્ગારા પુછપરછ કરતા આખો મામલો સામે આવ્યો હતો. મહિલાઓએ પીડિતાને સખી સ્ટોપ સેન્ટરને હવાલે કરી હતી. આમ દુષ્કર્મનો ભોગ બનેલી 14 વર્ષની બાળકી સુરત આવી પોહચી હતી. પોલીસ અને સખી સેન્ટર દ્રારા બાળકીને સુરત સિવિલમાં સારવાર આર્થે માકલી દેવામાં આવી છે અને સાવકા પાતિ સામે ત્વરીતે પગલા ભરવામાં આવશે જ, પતિને તેના કર્યાની સજા પણ ચોકકસ મળશે. પરંતુ સવાલ ત્યાં નો ત્યાં જ રહેશે કે “આખરે હતો તો તે બાપ જ ને !!!”