કર્ણાટકમાં ચાલી રહેલા રાજનીતિક સવાલોનાં જવાબ આજે કુમારસ્વામી સરકારને મળે તેવી સંભાવનાઓ છે. કુમારસ્વામી સરકાર રહેશે કે નહી તેનો નિર્ણય આજે લેવાશે. જેને જોતા કહી શકાય કે આજનો દિવસ કુમારસ્વામી સરકાર માટે અગ્નિપરિક્ષા સમાન રહેશે. આજે કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે, આ ફ્લોર ટેસ્ટમાં કુમારસ્વામીની સરકાર પોતાના અસ્તિત્વ વિશે પણ જાણી શકશે. મુંબઈની હોટલમાં રોકાયેલા ધારાસભ્યોએ સાફ કરી દીધુ છે કે તેઓ બેંગલુરુ નહી આવે.
કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળની સરકાર બન્યા બાદથી જ તેના પર સંકટનાં કાળા વાદળો દેખાઇ રહ્યા હતા. આ પહેલા કુમારસ્વામી અને કોંગ્રેસ નેતા સિદ્ધરમૈયા વચ્ચે તણાવનો માહોલ હતો, જેને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ હલ કરી દીધો. પરંતુ બાદમાં બળવાખોર ધારાસભ્યોએ સરકાર અને ગઠબંધનની હાલત વધુ ખરાબ કરી દીધી. બળવાખોર ધારાસભ્યનાં રાજીનામાથી કર્ણાટકનાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સરકારને સરકાર બચાવવું મુશ્કિલ દેખાઇ રહ્યુ છે. હવે સમય એવો આવી ગયો છે કે વિશ્વાસ મત રજૂ કરવો પડી રહ્યો છે. જો કે બળવાખોર ધારાસભ્ય ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવાની મનાઇ કરી ચુક્યા છે. જેના કારણે જાણકારોનું કહેવુ છે કે, કર્ણાટક સરકાર માટે આજનો દિવસ ભારે રહી શકે છે, આજે તેની અગ્નિપરિક્ષાનો સમય છે.
ધારાસભ્યોનાં બળવાખોર બન્યા બાદ
- વિધાનસભા બેઠકોની કુલ સંખ્યા: 224
- બળવાખોર ધારાસભ્યોની સંખ્યા: 15
- બળવાખોર ધારાસભ્યોની ગેરહાજરીને કારણે: 104
- બીજેપી: 105
- કોંગ્રેસ: 65 + 1 (વક્તા)
- જેડીએસ: 34
- બીએસપી: 1
- સ્વતંત્રતા: 2
- નામાંકિત સભ્ય: 1
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.