મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમો મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે.અને કહ્યું કે, રોહિંગ્યા મુસ્લિમો ભારતમાં ન રહી શકે.આઈએસ રોહિંગ્યાનો ઉપયોગ આતંકી ગતિવિધિયો માટે કરી શકે છે.મહત્વનું છે કે, મ્યાનમારમાં હિંસાને કારણે ભારત આવી ગયેલા રોહિંગ્યા મુસ્લિમોને પાછા મોકલવાની કેન્દ્ર સરકારની કોશિશોને સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે અયોગ્ય ગણાવી છે. માનવાધિકાર પરિષદના અધ્યક્ષ જૈદ રાદ અલ હુસેને કહ્યું છે કે, ‘આવા સમયમાં જયારે રોહિંગ્યા પોતાના દેશમાં હિંસાનો શિકાર બની રહ્યા છે, ત્યારે ભારત તરફથી તેમને પાછા મોકલવાની કોશિશોની હું નિંદા કરૃં છું.’ માનવાધિકાર પરિષદને સંબોધિત કરતી વખતે હુસેને કહ્યું કે, લગભગ ૪૦ હજાર રોહિંગ્યા ભારતમાં આવીને વસ્યા છે. તેમાંથી ૧૬ હજાર પાસે શરણાર્થી તરીકેના દસ્તાવેજ છે
Not Set/ મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમનો મામલો
મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમો મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે.અને કહ્યું કે, રોહિંગ્યા મુસ્લિમો ભારતમાં ન રહી શકે.આઈએસ રોહિંગ્યાનો ઉપયોગ આતંકી ગતિવિધિયો માટે કરી શકે છે.મહત્વનું છે કે, મ્યાનમારમાં હિંસાને કારણે ભારત આવી ગયેલા રોહિંગ્યા મુસ્લિમોને પાછા મોકલવાની કેન્દ્ર સરકારની કોશિશોને સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે અયોગ્ય ગણાવી છે. માનવાધિકાર પરિષદના અધ્યક્ષ જૈદ રાદ અલ […]