- અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય પહોંચ્યા ગાંધીનગર
- રાજ્યપાલને મળીને પાણી મુદ્દે કરી રજૂઆત
- કચ્છમાં નર્મદાના નીર છતાં અબડાસા તરસ્યુ
- બહારની કંપનીઓમાં સ્થાનિકોને રોજગારીની કરી માંગ
- રજૂઆતો પુરી ન થાય તો આંદોલનની આપી ચીમકી
કચ્છના અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પાણી મુદ્દે ગાંધીનગર રાજ્યપાલને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા. રાજ્ય સરકાર એક તરફ નર્મદાના નીર કચ્છ સુધી પહોંચ્યાના દાવો કરી રહી છે ત્યારે બીજુ બાજુ અબડાસા હજુ પણ પાણી વગર ટળવળી રહ્યુ છે. આ મુદ્દે અનેક રજૂઆતો છતાં કોઈજ પરિણામ નહી આવતા પ્રદ્યુમનસિંહ જાડેજાએ તેમની મુખ્ય પાંચ માગણીઓ મુદ્દે રાજ્યપાલને રજૂઆત કરી હતી. જો માગણીઓ ન સંતોષાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. માગણીઓ મુદ્દે પ્રદ્યુમનસિંહે મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન