કોરોના લોકડાઉન વચ્ચે વડોદરામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શેહરના વાઘોડિયા રોડનાં નાથદ્વારા એવન્યુ પાસેના કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી.આથી પાણીગેટ ફાયર બ્રિગેડ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ બૂઝાવવાની કામગીરી ચાલુ કરી હતી.
જણાવીએ કે મીટરો સળગતાં ધુમાડાનાં ગોટેગોટા નીકળ્યા હતા.ફાયર બ્રિગેડને કોમ્પ્લેક્ષનાં કાચ તોડવાની ફરજ પડી હતી. આ આગ શોર્ટ સર્કિટનાં કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે.
આ મામલે પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોચીને વધુ તપાસહાથધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન