પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ પર આતંકીઓ દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલામાં નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આમાં હુમલો કરનારા ચારે આતંકીઓનો સમાવેશ છે. પાકિસ્તાને ઉગ્રતાથી ભારતને આ હુમલામાં ખેંચવાની કોશિશ કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે કરાચી હુમલાને ભારત સાથે જોડવા માટે પાકિસ્તાનના વિદેશ પ્રધાનની નિંદા કરી હતી અને તેમની આ ચેષ્ટાને વાહિયાત ગણાવી હતી.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, કરાચીમાં થયેલા ઉગ્રવાદી હુમલા અંગે પાકિસ્તાનના વિદેશ પ્રધાનની વાહિયાત ટિપ્પણીને ભારત નકારી કાઢે છે. મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન તેની સ્થાનિક સમસ્યાઓ માટે ભારતને દોષી ઠેરવી શકે નહીં. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનથી વિરુદ્ધ ભારત કરાચી સહિત વિશ્વના કોઈ પણ ભાગમાં આતંકવાદની ટીકા કરવામાં અચકાતું નથી.
India rejects the absurd comments of Foreign Minister of Pakistan on the terrorist attack in Karachi. Pakistan cannot shift the blame on India for its domestic problems. Unlike Pakistan, India has no hesitation in condemning terrorism anywhere in world, including in Karachi: MEA pic.twitter.com/UHhy9CcxYw
— ANI (@ANI) June 29, 2020