કોંગ્રેસે મો.જાવેદની બેઠક કિશનગંજમાં ફરી એકવાર વાપસી કરવા માટે કમરકસી છે. કોંગ્રેસ દેશના જાણીતા ઉર્દૂ સાયર(કવિ) મુન્નવર રાણાની પુત્રી ફોજિયા રાણાને આ બેઠક પરથી મેદાનમાં ઉતારી શકે છે. આપને જણાવી દઇએ કે, ફોજિયા રાણા તાજેતરમાં કિશનગંજથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, ફોજિયા રાણાને આ બેઠક આપવા માટે પાર્ટીમાં પણ કોઈ વિરોધ નથી. તેથી તેમના ઉમેદવાર હોવું લગભગ નિશ્ચિત છે. આપને જણાવી દઇએ કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર ડો.મહમદ જાવેદ જીત્યા હતા. પરંતુ 2019 ની લોકસભાની ચૂંટણીમાં ડો.જાવેદ સાંસદ બનતા આ બેઠક ખાલી પડી હતી. ત્યાર બાદની પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસ પાસેથી આ બેઠક એઆઈએમઆઈએમ એ છીનવી લીઘી હતી. તો આ વખતે તે કિશનગંજ બેઠક ફરી જીતવા કોંગ્રેસે કવાયતો શરુ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….