અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. નાની બાબતમાં અદાવત રાખી એક પત્રકાર ઉપર જીવલેણ હુમ્લી કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ધનસુરા પંથકમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. ધનસુરા ખાતે રિપોર્ટર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ત્રણ અસામાજિક તત્વોએ ભેગા મળી એક સ્થાનિક પત્રકાર ઉપર હિચકારી હુમલો કર્યો હતો.
નોધનીય છે કે, તોલમાપ ખાતાના અધિકારીઓએ ભાવેશ ટ્રેડર્સ નામની પેઢી ઉપર રેડ કરી હતી. અને દંડ ફટકાર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ભાવેશ કોઠારી, ઉત્પલ પટેલ, હર્ષ પટેલ નામના શખ્સોએ હુમલો કર્યો હતો.