કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેવદિવાળીના દિવસે અમદાવાદીઓને બે નવી ભેટ આપવા જઈ રહ્યા છે. દેવ દિવાળીના રોજ તેઓ બે નવા બ્રિજનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે.
અમદાવાદમાં ઉજાલા સર્કલ અને પકવાન સર્કલ પર નવા નવા બ્રિજનું ઈલોકાર્પણ કરવાના છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ટ્રાફિક સમસ્યાને નિવારવા બે બ્રિજનું નિર્માણ કરાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે દેવદિવાળીના દિવસે સોમવારે સવારે 10:00 વાગ્યે ઉજાલા અને પકવાન બ્રિજ નું ઇ લોકાર્પણ કરશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહેશે