નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 500 અને 1000 રૂપિયાની વધુ જૂની નોટો રાખવા પર દંડ વસુલવાની મંજૂરી આપી દીધી છે. 30 ડિસેમ્બરે જૂની નોટ જમા કરાવવાની સમય મર્યાદા 31 માર્ચ સમાપ્ત થઇ રહી છે. ત્યાર બાદ જૂની નોટ તમારી પાસે મળી આવશે તો ચાર વર્ષની જેલની સજા પણ થઇ શકે છે.
કોઇ પણ વ્યક્તિ પાસે જો 10 થી વધુ નોટ મળી આવશે તો તેની પાસેથી દંડ વસુલવામાં આવી શકાય છે. વટહૂકમ દ્વારા સરકારને રિજર્વબેન્કમાં આ નોટો જેની પાસેથી મળી હશે. તેના બદલામાં તે રકમ પરત પણ નહી કરવામાં આવે.
જે શખ્સ 10 કરતા વધારે જૂની નોટો રિઝર્વબેન્કમાં જમા કરવા જશે તેના બદલામાં તેને રૂપિયા આપવામાં નહિ આવે. જૂની નોટ રાખવાના નિયમનું ઉલ્લંધન કરવા પર 50,000 હજાર કરતા વધારે અથવા જે રકમ મળશે તેનો 5 ગણો દંડ જે વધુ હશે તે લગાવવામાં આવશે.
1978 ની મોરારજી દેસાઇની જનતા પાર્ટી સરકારે 1,000, 5,000 ની નોટ બંધ કર્યા બાદ સરકારે દેનદારીને વટહૂકમ દ્વારા જ સમાપ્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 30 ડિસેમ્બર પાદ 500 અને 1000 ની નોટ રિઝર્વ બેન્કમાં જમા કરાવી શકા છે.