ક્રીપ્ટોકરન્સી છે શું?
ક્રિપ્ટોકરન્સીને ઈ-ચલણ કહી શકાય. તે નોટોની જેમ હોતી નથી, માત્ર કોપ્મ્યુટર પર જોવા મળે છે. તે આપના ખિસ્સામાં આવતી નથી. તેથી તેને ડિજિટલ અથવા તો વર્ચ્યુલ કરન્સી કહેવાય છે. ક્રિપ્ટોકરન્સીને દુનિયાના કોઈપણ ખુણામાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે. તેને કોઈપણ પ્રકારની કરન્સીમાં કન્વર્ટ કરી શકાય છે., જેમકે ડૉલર.. યૂરો અને રૂપિય.. વિગેરે
બીટ કોઈન કરન્સી છે શું?
બિટકોઈન એક ડીસેન્ટ્રલાઈઝ્ડ પેપરલેસ ક્રિપ્ટોકરન્સી છે. તેની શરૂઆત 2009માં થઈ હતી.
માઈનિંગ રિંગની સરેરાશ ૩લાખ રૂપિયા હોય છે, 23 સપ્ટેમ્બરના રોજ બિટકોઈનની કીમત 3751 ડૉલર હતી, જે ભારતીય રૂપિયામાં રૂ.2,43,000 ઉપર થવા જાય છે.
બિટકોઈન પછી ઈથર વિશ્વની બીજા નંબરની લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી અને સૌથી વધુ જાણીતી ડિજિટલ કરન્સી છે. તેનો ઉપયોગ ઈથેરિયમ બ્લોકચેન પર સંચાલિત એપ્લિકેશનોના પેમેન્ટમાં થાય છે.
ઈથરની કીમત પાછલા બે વર્ષમાં 30,258 ટકા વધીને 12 જૂન 2017ના રોજ 394.66 ડૉલર( અંદાજે રૂપિયા 25,432)સુધી પહોંચી ગઈ હતી. જે 12 ઓગસ્ટ, 2015ના રોજ 1.3 ડૉલર(83 રૂપિયા) હતો.
એક તરફ મોદી સરકારે રાતોરાત 500 અને 1000 રૂપિયાની નોટોને ચલણમાંથી રદ કરી, હવે ક્રીપ્ટોકરન્સી લાવવા પર વિચાર કરી છે. ભારતમાં અમુક વર્ગ એવો છે જે ડીજીટલ પેમેન્ટની સુવિધા સમજી શકે એવો નથી .
એક તરફ મોદી સરકાર ડીજીટલ પેમેન્ટ માં વધારો કરવા માટે અપીલ કરી રહી છે,પણ ભારતનું કલ્ચર તેને સ્વીકારવા તૈયાર નથી. ભારતમાં શહેરો કરતાં ગામડા વધારે છે, જેથી ગામડાઓમાં ડિજિટલ પેમેન્ટ કે ઓનલાઈન પેમેન્ટ કરવું હજી સરળ થયું નથી.