મોરબીમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. પાન પાર્લરના પર મસ્તી-મસ્તીમાં એક યુવકકે છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.
મોરબીના હળવદની આ ઘટના છે. ગત રાત્રે હળવદ જીઆઈડીસી પાસે પાન પાર્લર પર મૃતક અવેશ જંગીયા, આરીફ જામ, હૈદર મોવર, કાસમ કાજડિયા, અબ્દુલ ઇસા કાજડિયા, ગફુર ઇસા કાજડિયાના મિત્રો મસ્તી કરી રહ્યા હતા.
આ પણ વાંચો :સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ટી-શર્ટ પહેરીને આવતા ગૃહમાંથી કઢાયા બહાર
આ દરમિયાન, તે બધા વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. દરમિયાન મિત્રોએ અવેશ કાસમભાઇ જંગીયા (20) ને છરી વડે હુમલો કર્યો હતો. યુવકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
હાલમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મસ્તી કરતી વખતે કોઈ બાબતે દલીલ થઈ હતી, ત્યારબાદ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. પોલીસે હાલમાં હત્યા કરાયેલ છરી પણ મળી શકી નથી. હાલ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : તસ્કર બન્યા બેફામ, પોલીસ બની મુકપ્રેક્ષક, 3 કલાક ફરી ચોરે 7 દુકાનોને બનાવી ટાર્ગેટ