અમદાવાદના ખોખરા વોડઁ મા મણિનગર રેલવે ફાટક નજીક ની ૬૦ સોસાયટી ઓ ગેસ પુરવઠા થી વંચિત બની છે.
જીઓ કંપનીના કેબલ માટે ખોદકામ ની કામગીરીને લઈને ગેસ પાઈપ લાઈન તુટતા આસપાસ ની ૬૦ સોસાયટી ઓ મા બપોર થી ગેસ પુરવઠો અવરોધાતા તે સોસાયટી ના રહીશો રસોઈ બનાવવા થી વંચિત બન્યા હતા.
અદાણી કંપની ના ઉચ્ચ અધિકારી ઓ ત્રણ જેટલી અદાણી ની ઈમરજન્સી ગાડી ઓ લઈ ને દોડી આવ્યા હતા.
જયા થી ફોલ્ટ થયેલ તે જગ્યા એ તાકીદે સમારકામ હાથ ધરીને ગેસનો પુરવઠો પુવઁવત કરવા કામે લાગી ગયા હતા.
સ્થાનિક કોરપોરેટર કમલેશ પટેલ સહિત સોસાયટી ઓના ચેરમેનો સાથે અધિકારી ઓ અને ઈજનેરો એ તાકીદે ગેસ નો સપ્લાય ચાલુ તરવા પયાઁસો હાથ ધયાઁ હતા.
જોકે સાતેક કલાક બાદ પણ ૬૦ સોસાયટી ઓમા ગેસને પુરવઠો હજુ પણ ના પહોંચી શકતા લોકો હાલાકીઓમા મુકાયા હતા.
સ્થાનિકો રસોઈથી વંચિત બનતા તેઓએ આસપાસની હોટેલ રેસ્ટોરન્ટ તેમજ ભોજનાલયો મા સાંજ ના પરિવારો ના ભોજન માટે દોડ લગાવી હતી.