ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળે છે, પરંતુ જેઠ સુદ પૂનમે યોજાતી જળયાત્રા મહોત્સવથી રથયાત્રાનો પ્રારંભ થાય છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ જળયાત્રાથી થાય છે. અને ખૂબ ધામધૂમથી ઊજવાય છે. પરંતુ હાલમાં કોરોનાએ ભગવાનની જલયાત્રા અને રથયાત્રા ઉપર પણ રોક લગાવી છે.
ભગવાન જગન્નાથજીની જળ યાત્રા
એક પૌરાણિક વાર્તા અનુસાર ગુજરાતમાં ગણપતિ નામનો એક ગણેશ ભક્ત રહેતો હતો અને તે બે મહિના પગપાળા ચાલીને ગણપતિના દર્શન કરવા જગન્નાથજી મંદિર ગયો હતો. ત્યાં તેણે ગણેશજીનાં બદલે જગન્નાથજીનાં દર્શન થયા. અને તે ભૂ દુખી થયો તેણે લાગ્યું કે આ ભગવાન ના હોય અને તેણે અન્ન-જળનો ત્યાગ કર્યો. જ્યારે “જયેષ્ઠાભીષેક” થયો, ત્યારે તેને ગણેશ સ્વરૂપનાં દર્શન થયા. ત્યારથી જ વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે. આ ‘જયેષ્ઠાભીષેક’ની પરંપરા જગન્નાથજી મંદિરમાં વર્ષોથી ચાલતી આવી છે.
ધામધુમથી નીકળે છે જળયાત્રા
શ્રૃંગાર કરેલા હાથીઓની સાથે બેન્ડવાજા ભજનમંડળી અને મોટી સંખ્યામાં ધજાપતાકા લઈને શ્રદ્ધાળુઓ જોડાય છે. શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચ્યા બાદ ગંગાપૂજન કરવામાં આવે છે. ગંગા પૂજન બાદ ૧૦૮ કળશમાં જળ ભરવામાં આવે છે. નિજ મંદિરે આવ્યા બાદ સવારે ૧૦ વાગ્યે વિધિવત મહાજળાભિષેક કરવામાં આવે છે. ભગવાનનું ષોડશોપચાર પૂજન થયા બાદ તેઓ પોતાના મોસાળ સરસપુર પ્રયાણ કરે છે.