આજે ભારતના કોરોના રસીકરણ અભિયાનમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે. સોમવારે, 15 થી 18 વર્ષની વય જૂથ માટે રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે, 40 લાખથી વધુ કિશોરોએ તેમની કોવિડ-19 વિરોધી રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી.
Today we have taken an important step forward in protecting our youth against COVID-19. Congrats to all my young friends between the age group of 15-18 who got vaccinated. Congrats to their parents as well. I would urge more youngsters to get vaccinated in the coming days!
— Narendra Modi (@narendramodi) January 3, 2022
આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે રસીકરણ કરાયેલા લોકોને અને તેમના પરિવારોને અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં વધુ કિશોરોને આ અભિયાનમાં ભાગ લેવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું, “આજે અમે યુવાનોને કોવિડ-19થી રક્ષણ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રસીકરણ મેળવનાર 15 થી 18 વર્ષની વય જૂથના તમામ કિશોરોને અભિનંદન! તેમના પરિવારજનોને પણ અભિનંદન. હું યુવાનોને આગામી દિવસોમાં રસીકરણ કરાવવા વિનંતી કરીશ.
25 ડિસેમ્બરના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 3 જાન્યુઆરીથી દેશવ્યાપી કોવિડ રસીકરણ કાર્યક્રમમાં 15 થી 18 વર્ષની વય જૂથને સામેલ કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 27 ડિસેમ્બરે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, આ વય જૂથ માટે રસીનો વિકલ્પ માત્ર કોવેક્સિન હશે.