પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એનપીઆર પ્રક્રિયાને જોખમી રમત ગણાવી હતી. તેમણે કહ્યું કે એનપીઆર, એનઆરસી અને નાગરિકતા સુધારણા અધિનિયમ એકબીજા સાથે જોડાયેલા છે અને રાજ્યોએ તેના વિરુદ્ધ ઠરાવો પસાર કરવા જોઈએ. બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે સ્પષ્ટ કર્યું હતું કે, નાગરિકતા સુધારણા કાયદા વિરુદ્ધ ઠરાવ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પણ પસાર કરવામાં આવશે.
તેમણે કહ્યું, ‘હું તમામ રાજ્યોને એનપીઆર કવાયતમાં ભાગ ન લેવાની વિનંતી કરું છું કારણ કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અગાઉ કેરળ અને પંજાબ વિધાનસભાએ સીએએ વિરુદ્ધ ઠરાવો પસાર કર્યા છે. તો રાજસ્થાનમાં પણ ઠરાવ પસાર કરવાની તૈયારીઓ ચાલુ છે.
મમતાએ ભાજપ શાસિત રાજ્યો ઈશાનમાં ત્રિપુરા, આસામ, મણિપુર અને અરુણાચલ અને વિરોધી પક્ષો દ્વારા શાસિત રાજ્યોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે તમામ રાજ્યોએ તેમના રાજ્યમાં એનપીઆર લાગુ કરતા પહેલા તેને સારી રીતે વાંચવો જોઈએ. તે પછી જ આ કાયદાના અમલીકરણ વિશે કોઈ નિષ્કર્ષ પર આવવું જોઇએ.
તૃણમૂલ કોંગ્રેસના વડાએ કહ્યું કે જે કાયદો તમારા માતાપિતાના જન્મની વિગતો માંગે છે તે એનઆરસી સિવાય બીજું કશું હોઇ શકે નહીં. સરકાર કહી રહી છે કે માતાપિતાના જન્મની વિગતો આપવી ફરજીયાત નથી, તો પછી આ પ્રકારનો સવાલ એનપીઆરમાં કેમ પૂછવામાં આવશે. આ પ્રશ્ન ફક્ત દૂર કરવો જોઈએ. એવી આશંકા છે કે જો આ કોલમ ફોર્મમાં અખંડ રહેશે અને જે કોઇ આ ભરશે નહીં તે આપમેળે દૂર થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.