વડોદરાઃ વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વિડીયો વાઇરલ થતાં ફરીથી વિવાદનો વંટોળ સર્જાયો છે. કોમર્સ ફેકલ્ટીમાં શિવમંદિર પાસે ત્રણ ઇસમોએ નમાઝ પઢી હતી. આમ જાહેરમાં MS Uni-Namaz issue યુનિવર્સિટી કેમ્પસમાં જ નમાઝ પઢવામાં આવી હતી. આને લઈને હોબાળો મચી ગયો છે. આમ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં સિક્યોરિટી અને વિજિલન્સની કડક વ્યવસ્થાના દાવા કરવામાં આવ્યા છે તે પોકળ છે.
અગાઉ આ પ્રકારની ઘટના 2022ના ડિસેમ્બરમાં બની હતી. તે સમયે નમાઝ પઢનારા વિદ્યાર્થીઓને યુનિ.માંથી સસ્પેન્ડ કરવાની વાત કરવામાં આવી હતી. આ માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સિન્ડિકેટના મેમ્બરની MS Uni-Namaz issue આગેવાની હેઠળ આઠ સભ્યોની કાયમી શિસ્ત સમિતિ બનાવાઈ.
તે સમયે પણ આ ઘટનાના પગલે વિશ્વહિંદુ પરિષદે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ધાર્મિક આગેવાનો પણ ઘણા નારાજ થયા હતા. ધર્મગુરુ જ્યોતિર્નાથ બાપુએ તો એમએસ યુનિ.ના સંચાલકો સામે આકરી કાર્યવાહી MS Uni-Namaz issue કરવાની માંગ સુદ્ધા પણ કરી નાખી હતી. તેમણે જણાવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની પ્રવૃત્તિ સાંખી ન શકાય. નમાઝ પઢનાર સામે આકરી કાર્યવાહી થવી જોઈએ.
તે સમયે યુનિ.ના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે નમાઝ પઢનારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરાશે અને જરૂર પડી તો વિદ્યાર્થીઓના વાલીઓને પણ બોલાવાશે. પણ આ બધુ ફોગટ નીવડ્યું હોય તેમ લાગે છે. આ ઘટનાનું પુનરાવર્તન થતાં હવે યુનિ.ના સત્તાવાળાઓના હાથમાંથી બાજી સરકતી દેખાઈ રહી છે. આ પ્રકારના બનાવને લઈને કોમી વૈમનસ્ય ન વધે તે MS Uni-Namaz issue માટે હવે પોલીસે હાથમાં કેસ લેવો પડે તેમ લાગી રહ્યું છે. વડોદરા આમ પણ કોમી છમકલા માટે જાણીતું છે.
આ પણ વાંચોઃ Adviser To PM Modi/ અમિત ખરેને PM મોદીના સલાહકાર તરીકે એક્સટેન્શન મળ્યું, કોન્ટ્રાક્ટના આધારે સેવામાં વધારો થયો
આ પણ વાંચોઃ Gujarat Rain/ આજે રાખજો સાવધાની, વરસાદની છે આ જગ્યાએ મહેરબાની
આ પણ વાંચોઃ Manmohan Singh Birthday/ ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આજે 91 વર્ષના થયા,ચાલો જાણીએ તેમના જીવનની થોડી રસપ્રદ વાતો