ISROએ આખરે ગગનયાનનું ટ્રાયલ લોન્ચ કર્યું છે. અગાઉ ટેકનિકલ ખામીને કારણે ટ્રાયલ હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું, પરંતુ ખામીને સુધાર્યા બાદ 10 વાગ્યે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ગગનયાનને લોન્ચ કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ પરીક્ષણ મિશનને લોન્ચિંગની માત્ર 5 સેકન્ડ પહેલા રોકવી પડી હતી. અગાઉના પ્રયાસોમાં, એન્જીન ઇગ્નીશન ન થવાને કારણે લોન્ચિંગ અટકાવવું પડ્યું હતું. ભારતનું ગગનયાન મિશન 2025 માટે તૈયાર થઈ રહ્યું છે. ISRO એ પ્રથમ પરીક્ષણ તરીકે આજે શ્રીહરિકોટાથી મિશન લોન્ચ કર્યું છે અને તેનું લેન્ડિંગ બંગાળની ખાડીમાં થવાનું છે.
એન્જીનમાં ખામીના કારણે ટેસ્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું
ગગનયાનનું ટ્રાયલ લોન્ચને હોલ્ડ પર મૂકતાની સાથે જ ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું હતું કે, ‘લિફ્ટ-ઓફનો પ્રયાસ આજે થઈ શક્યો નથી. મિશનનું પ્રથમ પરીક્ષણ આજે સવારે 8 વાગ્યે થવાનું હતું પરંતુ ખરાબ હવામાનને કારણે તેનું સમય બદલીને 8:45 કરવામાં આવ્યો હતો.
ઈસરોના વડાએ કહ્યું કે એન્જિન યોગ્ય રીતે સળગી શક્યું નથી. હવે શું ખોટું થયું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે રોકેટ સાથે લગાવવામાં આવેલ વાહન સુરક્ષિત છે. હવે શું થયું તે જોવાની જરૂર છે. તેણે કહ્યું કે અમે જલ્દી પાછા આવીશું. કોમ્પ્યુટરમાંથી લોન્ચ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. અમે જે પણ ખરાબ હશે તેને ઠીક કરીશું અને ટૂંક સમયમાં લોન્ચિંગનું શેડ્યૂલ કરીશું.
આ પણ વાંચો: Dengue/ ડેન્ગ્યુ સામેની જંગમાં મોટી સફળતા, પ્રથમ અસરકારક દવા તૈયાર!
આ પણ વાંચો: Navratri/ આ અનોખા મંદિરમાં દીપ પ્રગટાવવા માટે ભક્તોની લાંબી લાઈન રહે છે, જાણો શું છે ઈતિહાસ
આ પણ વાંચો: નવરાત્રી 2023/ સાતમાં દિવસે કરો માં કાળરાત્રીની પૂજા, આસૂરી અને ખરાબ શક્તિઓનો થશે નાશ

