અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લા ઘણા સમયથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. માહિતી અનુશાર તેમની અને તેમના પતિ અભિષેક બચ્ચન વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. જો કે આ બધા સમાચારો પર આ કપલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ આ દરમિયાન અભિનેતા અમિતાભ બચ્ચને પુત્રવધૂ ઐશ્વર્યા પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. અમિતાભના ઈન્સ્ટાગ્રામ ફોલો બેકમાં ઐશ્વર્યાનું નામ નથી, એટલે કે તેને પુત્રવધૂ ઐશ્વર્યાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે.
તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચનના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 36.3 મિલિયન ફોલોઅર્સ છે. આ સિવાય અમિતાભ 74 લોકોને ફોલોબેક કરે છે. આ 74 લોકોમાં અભિષેક બચ્ચન અને ઈન્ડસ્ટ્રીના તમામ સેલેબ્સ હાજર છે, પરંતુ તેમની વહુ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ આ લિસ્ટમાં નથી. જોકે, ઘણા લોકો એવું પણ કહે છે કે અમિતાભ બચ્ચને ક્યારેય ઐશ્વર્યાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો નથી કર્યા. જ્યારે, કેટલાક ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બચ્ચન પરિવારમાં બધું બરાબર નથી ચાલી રહ્યું.
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાની પહેલી ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું પ્રીમિયર યોજાયું હતું, જ્યાં આખો બચ્ચન પરિવાર જોવા મળ્યો હતો. આ પ્રસંગે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, જયા બચ્ચન, આરાધ્યા બચ્ચન, અજિતાભ બચ્ચન, નિખિલ નંદા અને શ્વેતા બચ્ચન સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં ઐશ્વર્યાએ એ સમાચાર પર પણ પૂર્ણવિરામ મૂક્યું હતું જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે અભિનેત્રીએ અભિષેક બચ્ચનથી છૂટાછેડા લઈ લીધા છે.
આ પણ વાંચો :‘માસ્ટરશેફ ઈન્ડિયા 2023’ નો વિજેતા બન્યો મોહમ્મદ આશીક
આ પણ વાંચો :રશ્મિકા મંદાનાએ એનિમલમાં ગીતાંજલિની ભૂમિકા પર પ્રતિક્રિયા આપી
આ પણ વાંચો :Controversy of Animal film/એનિમલ ફિલ્મનો વિવાદ પહોંચ્યો સંસદમાં, મહિલા સાંસદે કહ્યું- મારી દીકરી રડતી રડતી થિયેટરની બહાર આવી