જદેશમાં ઘણા સમયથી તેના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ડાયાબિટીસના દર્દીઓની સંખ્યાના સંદર્ભમાં ભારત વિશ્વના ટોચના દેશોમાં સામેલ છે. ડાયાબિટીસ ગંભીર રોગ હોવા છતાં સાધ્ય રોગ છે. તેને દૂર કરી શકાતો નથી પરંતુ નિયંત્રિત જરૂર કરી શકાય છે.
આ રોગને કારણે દર્દીના શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોન યોગ્ય રીતે ઉત્પન્ન થતું નથી જે લોહીમાં સુગર લેવલને જાળવી રાખે છે. આવી સ્થિતિમાં લોહીમાં શુગર વધી જાય છે. આ એક એવો રોગ છે જેમાં દર્દીઓએ પોતાની ખાવાની આદતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને ખાવાની આદતો બદલીને જ તેને નિયંત્રિત કરી શકાય છે.
જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમારે તમારી દિનચર્યામાં ચોક્કસ પ્રકારના લોટમાંથી બનેલી રોટલીનું સેવન કરવું જોઈએ, જે તમારી શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરશે.
રાગીનો લોટ : રાગીને સુપરફૂડ કહેવામાં આવે છે કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન કરવું જોઈએ. આ આપણા શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારે છે અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ રાગીના લોટમાંથી બનેલી રોટલીનું સેવન કરી શકે છે.
બાજરીનો લોટ : બાજરીના લોટમાંથી બનેલી રોટલીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે બાજરીનો ગ્લાયકેમિક ઈન્ડેક્સ ઘણો ઓછો હોય છે. આ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે વજન નિયંત્રણમાં પણ ઘણી મદદ કરે છે.
જુવાર : જુવારમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે જે શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ એક બરછટ અનાજ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓએ જુવારના લોટમાંથી બનેલી રોટલીનું સેવન કરવું જોઈએ. તેનાથી દર્દીઓને શુગર કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.
લીલી મેથી : ડાયાબિટીસમાં લીલી મેથીનું સેવન લાભદાયક રહે છે. મેથીમાંથી પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, ઝિંક, ફોલેટ અને અનેક પ્રકારના વિટામિન્સ છે. પોષક તત્વોથી ભરપૂર મેથીના રોટલા ખાવાથી શરીરમાં બ્લડ સુગર નિયંત્રિત રહે છે. મેથીમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. મેથીમાં પ્રચર માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોવાથી ઓછી ભૂખ લાગે છે. જેના કારણે સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
આ પણ વાંચોઃધમકી/ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પર આતંકનો પડછાયો, પન્નુએ આપી મેચ રદ્દ કરવાની ધમકી
આ પણ વાંચોઃFali S Nariman/વકીલાતના 70 વર્ષ, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એવોર્ડ, જાણો કોણ હતા ફલી એસ નરીમન?
આ પણ વાંચોઃFali S Nariman/પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી ફલી એસ નરીમનનું નિધન, 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા