Ahmedabad News: ચેક રિટર્નના કેસોના ભરાવા અને ભારણને ઘટાડવા અને ઝડપી નિકાલ લાવવા વધુ 15 કોર્ટોની સ્થાપના કરવામાં આવે તેવી શક્યતા છે. શહેરના લાલ દરવાજા વિસ્તારમાં કોર્ટો ઊભી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ધ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ હેઠળ ચેક રિટર્નના કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તમામ નવી 15 અદાલતો અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં કોર્ટ ઊભી કરવામાં આવશે.
હાલમાં આશરે સવા બે લાખથી વધુ કેસો 12 કોર્ટોમાં પડતર છે. ચેક રિટર્નના કેસોમાં સૌથી વધુ નાણાકીય સંસ્થાઓ, બેંકોન હોય છે. જેને લઈ ચેક રિટર્નના કેસોનું ભારણ ઘટાડવા અને બેકલોગનો ઝડપી નિકાલ લાવવાના હેતુથી 15 કોર્ટોની સ્થાપનાનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો:દિલ્હી-સુરતની ફ્લાઈટમાં એક યાત્રીએ કર્યું એવું કે, ત્યારબાદ તેની કરવી પડી ધરપકડ
આ પણ વાંચો:જૂનાગઢમાં મંગેતરે આપઘાત કરતાં યુવતીની પણ આત્મહત્યા