Jamnagar News: જામનગરમાં યુવકની સરેઆમ હત્યા કરવામાં આવી છે. જામનગરના ધરાનગર આવાસમાં રહેતા 30 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. આડેધડ છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી છે. ઇકબાલ કુરેશી નામના યુવકની હત્યા કરવામાં આવી છે.
આ ઘટના બતાવે છે કે જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી કથળી છે. આ પુરાવો છે કે ગુનેગાર તત્વો જામનગરમાં કેવા બેફામ બન્યા છે. તેમને પોલીસની કોઈ શેહશરમ રહી નથી. ગુનેગારોને ડર રહ્યો નથી. આ રીતે સરેઆમ ખૂન કરવામાં આવી રહ્યા છે. લોહીની નદીઓ વહાવવામાં આવી રહી છે.
પોલીસે હત્યાનો ગુનો નોંધી કલમ 302 લગાવી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે આગળ તપાસની દિશા નક્કી થશે.
આ પણ વાંચો: બોટાદના ગઢડામાં બેન્ક ઓફ બરોડામાં ખેડૂતોનો હોબાળો
આ પણ વાંચો: મોટા વરાછા વિસ્તારમાં વેપારીઓએ કર્યો વિરોધ, NOC મળ્યા બાદ પણ નથી ખોલ્યા દુકાનોના સીલ
આ પણ વાંચો: વડોદરામાં ‘નલ સે જલ’ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશઃ 27 કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ
આ પણ વાંચો: સુરતમાં હાઈકોર્ટના કડક વલણ બાદ 250 જેટલી શાળાઓને કરાઇ સીલ