Banaskantha News/ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં શાળાઓ ખાલીખમ જોવા મળી રહી છે

ટ્રાયબલ વિસ્તાર ની શાળાઓ વર્ગખંડ ખાલી જોવા મળ્યા હતા

Gujarat Others

Banaskantha News : આદિવાસી સમાજ ના અભ્યાસ કરતા બાળકો વાળી શાળાઓમાં શિક્ષકો તો છે પરંતુ વિદ્યાર્થીઓ ગેરહાજર છે કારણકે આદિવાસી સમાજના વિદ્યાર્થી ઓ ને નોકરી અને ઉચ્ચ અભ્યાસ માટે જાતિના દાખલા ઓ માટે સરકાર દ્વારા 1950ની સાલના પુરાવા માંગવામાં આવતા આદિવાસી સમાજ ના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવા તેમજ અને યુવકોને નોકરી મેળવવા ભારે મુશ્કેલી ઉભી થઇ છે જેને લઈને મુખ્યમંત્રી સુધી રજુઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ ના આવતા આખરે આજે ટ્રાયબલ વિસ્તાર ની શાળાઓમાં આદિવાસી સમાજના વાલીઓ એ વિદ્યાર્થીઓ ને શાળા એ ના મોકલી ને વિરોધ નોંધાવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને દાંતા વિસ્તારમાં આદિવાસી સમાજના યુવાનોને જાતિ અંગેના દાખલા લેવામાં પડતી પરેશાની ને લઈ અનોખો વિરોધ નોંધવાવામાં આવ્યો છે જેમાં આજે ટ્રાયબલ વિસ્તાર ની શાળાઓ વર્ગખંડ ખાલી જોવા મળ્યા હતા આદિવાસી સમાજ ના લોકો ને જાતિના દાખલા માટે 1950 ની સાલ ના પુરાવા માંગતા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ને પડી રહેલ મુશ્કેલી ઓ ને તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ કલેકટર તેમજ રાજ્યના મુખ્યમંત્રી ને અનેક રજુઆત કરવા છતાં નિરાકરણ આવ્યું નથી.

જેના કારણે વિદ્યાર્થીઓ અને નોકરી મેળવનાર યુવક યુવતી ઓ ને મુશ્કેલી પડી રહી છે ત્યારે હવે આદિવાસી વિસ્તારમાં આવેલી શાળાઓ માં આજે એક પણ વિદ્યાર્થી શાળાએ ગયા વિના શાળાઓ ખાલી ખમ જોવા મળી રહી છે અને આદિવાસી સમાજ દ્વારા અનોખો વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક તારા ભાઈ એ કહ્યું હતું કે તેમનો દીકરો 2023માં સિવિલ એન્જિનિયર નોકરી લાગ્યો હતો પરંતુ ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં 1950 ના પુરાવા માગતા ડોક્યુમેન્ટ ના મળતા હજુ સુધી નોકરી નો ઓર્ડર મળ્યો નથી. આવા અનેક દીકરાઓ છે જે નોકરી મેલસિ શક્ય નથી..જોકે સમાજ ના લોકો એ જણાવ્યું કે આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો રસ્તા રોકી અને ગાંધીનગર નો ઘેરાવો કરીશું..

બનાસકાંઠા જિલ્લામાં અનુ સૂચિત જન જાતિ (આદિવાસી સમાજ) ના યુવાનોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીને લઈ આજે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો જિલ્લાના દાંતા, અમીરગઢ સહીત વિસ્તારના આદિવાસી સમાજના લોકો એ આજે બાળકો ને શાળા એ ના મોકલી વિરોધ નોંધાવ્યો હતો.આદિવાસી સમાજ ના લોકોને જાતિના દાખલા કઢાવવામાં 1950 પહેલાનો રહેઠાણ પુરાવો માંગતા આદિવસી સમજના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

આદિવાસી સમાજના લોકો દ્વારા આક્ષેપ કરાયા છે કે અમારા સમાજના યુવાનો સરકારી નોકરી મેળવે તો તેમને જાતિના દાખલા ને કારણે નોકરીના ઓર્ડર મળતા નથી..ત્યારે આજે શાળામાં બાળકોને મોકલ્યા નથી અને વિરોધ નોંધાવ્યો છેઆગામી સમયમાં સરકાર હજુ સુધી પણ આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો કચેરીઓના ઘેરાવ સહિતના કાર્યક્રમો કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં જળસંકટની ભીતિ, શું સુકાઈ જશે ભૂગર્ભજળ!

આ પણ વાંચો: MSME ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત ૨૧.૮૨ લાખ ઉદ્યમ રજીસ્ટ્રેશન સાથે દેશમાં પાંચમાં ક્રમે; સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ

આ પણ વાંચો: ગુજરાતે FY2026-27 સુધીમાં રાજ્યને 500 અરબ ડોલરનું અર્થતંત્ર રાજ્ય બનાવવાનું કર્યું નક્કી