Ahmedabad News/ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વરાજ કૌશલજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

સ્વરાજ કૌશલજી એક સંસદસભ્ય તરીકેના તેમના વિચારો પણ નોંધનીય હતા

Gujarat Ahmedabad
સ્વરાજ કૌશલજી નું નિધન

Ahmedabad News : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  સ્વરાજ કૌશલ જીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મોદીએ જણાવ્યું હતું કે સ્વરાજ કૌશલજી એ એક વકીલ અને એવા વ્યક્તિ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી જે વંચિતોના જીવનને સુધારવા માટે કાનૂની વ્યવસાયનો ઉપયોગ કરવામાં માનતા હતા. મોદીએ કહ્યું, “તેઓ ભારતના સૌથી યુવાન રાજ્યપાલ બન્યા અને તેમના રાજ્યપાલ પદ દરમિયાન મિઝોરમના લોકો પર એક અમીટ છાપ છોડી. એક સંસદસભ્ય તરીકેના તેમના વિચારો પણ નોંધનીય હતા.”

સ્વરાજ કૌશલજી ના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો

સ્વરાજ કૌશલજી ના નિધનથી દુઃખી છું. તેમણે એક વકીલ અને એવા વ્યક્તિ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી જે વંચિતોના જીવનને સુધારવા માટે કાનૂની વ્યવસાયનો ઉપયોગ કરવામાં માનતા હતા. તેઓ ભારતના સૌથી યુવાન રાજ્યપાલ બન્યા અને તેમના રાજ્યપાલ પદ દરમિયાન મિઝોરમના લોકો પર એક અમીટ છાપ છોડી. એક સંસદસભ્ય તરીકેના તેમના વિચારો પણ નોંધનીય હતા. આ દુઃખની ઘડીમાં મારા વિચારો તેમની પુત્રી બાંસુરી અને અન્ય પરિવારજનો સાથે છે. ઓમ શાંતિ.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધન પર આ રાજનેતાઓએ ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો:  અરુણ જેટલીનાં નિધન પર ભાવુક થયા પીએમ મોદી, કહ્યુ ચાલ્યો ગયો મારો દોસ્ત

આ પણ વાંચો:  સુષ્મા સ્વરાજની અંતિમયાત્રામાં ચૌધાર આંસુએ રડી પડ્યા 96 વર્ષના મહાશય ધર્મપાલ