હૈદરાબાદની પેટલાબુર્ઝ મેટરનિટી હોસ્પિટલમાં એક મરમેઇડ બાળકનો જન્મ થયો હતો, પરંતુ જન્મ પછી જ થોડી જ ક્ષણોમાં મૃત્યુ પામ્યું. જન્મજાત ખામીને લીધે બાળકના જન્મના એક કલાકમાં જ મૃત્યુ થયું હતુ. ખરેખર બાળકનો જન્મ મરમેઇડ સિન્ડ્રોમ સાથે થયો હતો, એક દુર્લભ જન્મજાત સ્થિતિ અને છેલ્લા કેટલાક વર્ષોમાં આવા કેટલાક કિસ્સા જોવા મળ્યા છે.
મરમેઇડ સિન્ડ્રોમથી જન્મેલા મોટાભાગના બાળકો લાંબા સમય સુધી જીવતા નથી. હૈદરાબાદમાં જન્મેલા શરીરનો અડધો ભાગ માનવ જેવો હતો અને અડધો ભાગ માછલી જેવો હતો. બાળકના શરીરનો નીચેનો ભાગ મરમેઇડ જેવો લાગે છે, એટલે કે, તે માછલીના પાંખ જેવું લાગે છે.
આ જન્મજાત વિકારને સિરેનોમેલિયા અથવા મરમેઇડ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. હોસ્પિટલના તબીબોએ સીએનએનને જણાવ્યું કે, બાળકનો જન્મ બુધવારે સાંજે સાત વાગ્યાની આસપાસ થયો હતો અને તે પછીના બે કલાકમાં જ મરી ગયું. આવા કિસ્સાઓ અત્યંત દુર્લભ છે. ચાલો જાણીએ..
મરમેઇડ સિન્ડ્રોમ એટલે શું?
સિરેનોમેલિયા એક પ્રકારની જન્મજાત ખામી છે જેમાં બાળકના બંને પગ જોડાયેલા હોય છે. તે મરમેઇડ માછલી જેવી લાગે છે, તેથી આ મરમેઇડ સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. આ સિંડ્રોમ એક લાખ બાળકોમાંથી એકમાં થાય છે. સિરેનોમેલિયા (મરમેઇડ સિંડ્રોમ) નું કોઈ વિશિષ્ટ કારણ હજી સુધી બહાર આવ્યું નથી. જો કે આની પાછળ આનુવંશિક અને પર્યાવરણીય પરિબળો પણ સામેલ છે. એવું અનુમાન પણ કરવામાં આવ્યું છે કે આ એક વ્યક્તિથી બીજામાં જીન ટ્રાન્સફરને કારણે હોઈ શકે છે.
આ કિસ્સામાં બાળકમાં જનનાંગો, કરોડરજ્જુની વિકૃતિઓ, બંને કિડની હોતી નથી. એનસીબીઆઈના જણાવ્યા અનુસાર, આ સ્થિતિમાં વ્યક્તિનું લાંબું જીવન જીવવું સામાન્ય રીતે અશક્ય છે.
આ પહેલા એક બાળકનો જન્મ 2018માં મહારાષ્ટ્રના અંબાજોગાઇમાં સ્વામી રામાનંદ તીર્થ ગ્રામીણ સરકારી હોસ્પિટલમાં થયો હતો. હૈદરાબાદમાં જન્મેલા બાળકની જેમ, આ બાળક પણ જન્મ લીધાના 15 મિનિટમાં જ મરી ગયું.