Uttarpradesh News : અલ્હાબાદ કોર્ટે એક ફેંસલામાં કહ્યું છે કે હિન્દુ વિવાહ માટે કન્યાદાનની વિધીની જરૂર નથી. કોર્ટે કહ્યું કે સાક્ષીઓને પરત બોલાવવાનો કોઈ આધાર નથી. કોર્ટે કહ્યું કે હિન્દુ લગ્ન અધિનિયમ મુજબ હિન્દુ લગ્નને સંપન્ન કરવા માટે કન્યાદાનની રસમ આવશ્યક નથી. ન્યાયમૂર્કિ સુભા, વિદ્યાર્થીની પીઠે કહંયું કે હિન્દુ લગ્નના આવશ્યક સમારોહના રૂપમાં કેવળ સપ્તપદી પ્રદાન કરે છે. કોર્ટે કહ્યું કે સાક્ષીઓને પરત બોલાવવાનો કોઈ આધાર નથી. આ ટિપ્પણી સાથે કોર્ટે સાક્ષીઓને ફરીથી બોલાવવાની પુનરિક્ષણ અરજી રદ્દ કરી દીધી હતી.
આશિતોષ યાદવ નામની એક વ્યક્તિએ પુનરિક્ષણ અરજી કરી હતી. જેમાં એડિ.સેસન્સ જજ લખનૌના એક આદેશને પડકારવામાં આવ્યો હતો. બે સાક્ષીઓને બોલાવવા માટે દાખલ પુનરિક્ષણ અરજીને રદ્દ કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે પુનરિક્ષણકર્તાના તર્કને દાખલ કરીને અભિયોજન પક્ષ દ્વારા દાખલ લગ્નપ્રમાણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે લગ્ન ફેબ્રુઆરી 2015 માં હિન્દુ રિત રીવાજો અનુસાર સંપન્ન થયો હતો. જે મુજબ કન્યાદાન એક આવશ્યક વિધી છે.
કોર્ટે જોયું કે આક્ષેપિત આદેશમાં ટ્રાયલ કોર્ટે પુનરિક્ષણકર્તાના તર્કને દાખલ કર્યો હતો કે અભિયોજન પક્ષ દ્વારા દાખલ લગ્નપ્રમાણ પત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે લગ્ન હિન્દુ રિતી રિવાજ મુજબ સંપન્ન થયા હતા. જોકે કન્યાદાન સમારોહના તથ્યને સુનિષ્ચિત કરવાની જરૂર છે માટે ફરીથી તપાસની જરૂર નથી.
આ પણ વાંચો: Loksabha Election 2024/ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ
આ પણ વાંચો: Anand/બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ
આ પણ વાંચો: Women leader/કરણીસેનાની બે મહિલા આગેવાનોને પોલીસે કર્યા નજરકેદ