Ahmedabad news વીજળી પડવાથી ઘણા લોકોના મોત થાય છે. ત્યારે વરસાદના માહોલમાં વીજળી પડવી એ ખૂબ જ સામાન્ય વાત છે. ત્યારે એવામાં વીજળી પડવાથી લોકોના મોત પણ થતા હોય છે અને તેની સાથે ઘણીવાર મોટું નુકસાન પણ થતું હોય છે. અમદાવાદના વિરમગામના ભોજિયાપુરા ગામે વીજળી પડવાની ઘટના સામે આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિરમગામના ભોજિયાપુરા ગામે વીજળી પડતા એક ખેડૂત મંગાજી ઠાકોર નામના ખેડૂતનું મોત થયું હતું. આ ખેડૂત પોતાના પાકને વરસાદથી બચાવવા માટે ખેતરમાં તાડપત્રી લઈને ગયા હતા. ત્યારે તાડપત્રી ઢાંકતી વખતે તેમના પર વીજળી પડી હતી. જેના લીધે ખેડૂતનું મોત થયું હતું.
આ પણ વાંચો:વડોદરાના IPL ક્રિકેટર શિવાલિક શર્મા પર લાગ્યો દુષ્કર્મનો આરોપ, જોધપુરમાં નોંધાઈ FIR
આ પણ વાંચો:રાજકોટમાં ચાલુ બસમાં તરૂણી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર
આ પણ વાંચો:અમદાવાદમાં પ્રેમ સંબંધને લજવતો કિસ્સો, મિત્રએ યુવતી સાથે દુષ્કર્મ કરી પૈસા પડાવ્યાં
