સમગ્ર રાજય માં કોરોના કેસ ઘટતા હવે આગના બનાવો વધતા જોવા મળી રહ્યા છે.ક્યારેક આગ એટલી ભયાનક હોય છે કે લાખો કોરોડોના માલ નું નુકશાન થતું હોય છે .ત્યારે મોડી રાતે જ વડોદરામાં સાવલી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લગાવાની ઘટના સામે આવી છે. જેમાં સ્થાનિકોએ ઘટનાની જાણ કરતા જ તે ઘટના સ્થળે પહોચી ગઈ હતી . ભારે જહેમત બાદ આગ પર કાબુ લેવાયો. આ ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળ પર પહોચી અને આગળ તપાસ હાથ ધરી હારી જોકે હજુ પણ કારણ અંકબંધ જ રહ્યું છે .
વડોદરાના સાવલી વિસ્તારની મંજુસર જીઆઇડીસીમાં બાબા ડેરીની બાજુમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ આગના પગલે આજુબાજુના ઈન્ડસ્ટ્રીયલ એકમોની વીજળી બંધ કરી દેવામાં આવી હતી. જેથી આ વિસ્તારમાં અન્ય કોઈ અઇચ્છનીય ઘટના સર્જાય નહીં.