મુંબઈના ગોરેગાંવમાં 7 માળની ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 45થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને HBT હોસ્પિટલ અને કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આઝાદ નગરમાં સમર્થ નામની ઈમારતમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
મળતી માહિતી મુજબ, આ ઘટના શુક્રવારે સવારે 3 વાગે ગોરેગાંવમાં સમર્થ બિલ્ડીંગના પાર્કિંગમાં બની હતી. પરંતુ ધીમે ધીમે તેણે આખી ઇમારતને ઘેરી લીધી. બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી પાંચ કાર અને 30થી વધુ બાઇક બળીને રાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની 10 ગાડીઓની મદદથી આગ પર કાબુ મેળવી શકાયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મકાનના પાર્કિંગમાં જૂના કપડાં રાખવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. કપડાંમાં આગ લાગી અને થોડી જ વારમાં બિલ્ડીંગનો પહેલો માળ અને પછી બીજો માળ લપેટમાં આવી ગયો હતો.
આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. જેમાં 5 મહિલા, એક બાળક અને એક પુરુષનો સમાવેશ થાય છે. કુલ 46 લોકો ઘાયલ થયા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. ઘાયલોને HBT હોસ્પિટલ અને કૂપર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: World Cup/ ભારતીય ટીમને મોટો ઝટકો, આ ઘાતક ખેલાડીને થયો ડેન્ગ્યૂ
આ પણ વાંચો: Attack/ સીરિયન મિલિટરી એકેડમી પર મોટો ડ્રોન હુમલો, 100થી વધુ લોકોના મોત
આ પણ વાંચો: Navratri/ નવરાત્રીના નવ દિવસ પહેરો આ રંગના કપડાં, મા દુર્ગાના આશિર્વાદ મળશે