ફિટ રહેવા માટે એક્ટિવ રહેવું ખૂબ જ જરૂરી છે, પરંતુ ભારતમાં 2022માં 50% લોકો શારીરિક રીતે એક્ટિવ ના હોવાની હકીકત સામે આવી છે. ભારતીયો દિવસ તો શું અઠવાડિયાના એક કલાક પણ કસરત કરતા નથી. ‘ધ લેન્સેટ ગ્લોબલ હેલ્થ’ના રિપોર્ટમાં આ ચોંકાવનારી વાત સામે આવી છે. સમાનતાની વાતો કરનારી મહિલાઓ પુરૂષોની સરખામણીમાં આ મામલે વધુ પાછળ છે. આ 50 ટકા નિષ્ક્રિય લોકોમાં 42% પુરુષો અને 57% સ્ત્રીઓનો સમાવેશ થાય છે.
પુરુષો અને સ્ત્રીઓની શારીરિક પ્રવૃત્તિનો દર ઓછો છે
જો સારા સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો WHOએ દર અઠવાડિયે 150 મિનિટની મધ્યમ કસરત અથવા દર અઠવાડિયે 75 મિનિટની ઝડપી કસરત કરવાની ભલામણ કરી છે. જો કોઈ આનાથી ઓછું કરે છે તો તે સ્વાસ્થ્ય માટે સારું નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની અડધાથી વધુ વસ્તી આ માર્ગદર્શિકાને અનુસરવામાં સક્ષમ નથી. સંશોધન ટીમે 197 દેશોનો અભ્યાસ કર્યો, જેમાં એ પણ જાણવા મળ્યું કે વૈશ્વિક સ્તરે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં શારીરિક પ્રવૃત્તિનો દર ઘટી રહ્યો છે.
2030 સુધીમાં, 60% ભારતીયો થશે unfit
અભ્યાસ કહે છે કે દેશમાં અપૂરતી શારીરિક પ્રવૃત્તિ વર્ષ 2000માં 22% હતી, જે 2010માં વધીને 34% થઈ ગઈ છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો 2030 સુધીમાં ભારતની લગભગ 60% વસ્તી શારીરિક રીતે અયોગ્ય બની જશે અને 15% સુધી સુધરવાનું વૈશ્વિક લક્ષ્ય એક સ્વપ્ન બનીને રહી જશે. ડબ્લ્યુએચઓ અનુસાર, શારીરિક રીતે સક્રિય ન રહેવાથી ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે. 2023 માં હાથ ધરાયેલા એક સંશોધન અહેવાલ મુજબ, 2021 માં, ભારતમાં 10.1 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત હતા, જ્યારે હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોની સંખ્યા 31.5 કરોડ હતી.
આ પણ વાંચો: તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો કેવા છે, તમે આ 5 વસ્તુઓથી બોન્ડિંગને સરળતાથી સમજી શકશો?
આ પણ વાંચો: ડ્રગ્સના જોખમ વિશે લોકોમાં જાગૃકતા ફેલાવવાનો અને રોકવાનો ઉદેશ્ય
આ પણ વાંચો: વરસાદની મોસમમાં દિલ્હી નજીકના આ સ્થળોની મુલાકાત લો, તમને અદ્ભુત નજારો જોવા મળશે