મેરઠના જાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંગનાહર ટ્રેક પર સિસૌલા ગામ પાસે રવિવારે રાત્રે એક ચાલતી કારમાં અચાનક ભયાનક આગ લાગી હતી. જેમાં કારમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકો જીવતા સળગી જવાથી મૃત્યુ પામ્યા હતા. કારમાં સવાર લોકોએ કારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગએ આખી કારને લપેટમાં લીધી હતી, જેના કારણે તેઓ બહાર નીકળી શક્યા ન હતા. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને જાની પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી, માહિતી મળતાં જ મેરઠના પોલીસ અધિકારીઓ પણ પહોંચ્યા.
શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
દિલ્હી નંબર DL-4C-AP-4792 ધરાવતી કાર રવિવારે રાત્રે 8.45 વાગ્યે જાની બાજુથી કંવર ટ્રેક પર ભોલા ઝાલ તરફ જઈ રહી હતી. દરમિયાન શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હતી. ડ્રાઈવરે કાર રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર કાબૂ બહાર નીકળી ગઈ અને આખી કારમાં આગ લાગી ગઈ. આ દરમિયાન કારમાં બેઠેલા ચાર પુખ્ત વયના લોકો અને એક બાળકે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કારગત નીવડ્યો નહીં. ત્યાંથી પસાર થતા અન્ય રાહદારીઓએ વાહન રોકીને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ વિકરાળ બની હતી. આ પછી પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
પોલીસ કરી રહી છે તમામની ઓળખ
પોલીસ પહોંચી ત્યાં સુધીમાં કાર સંપૂર્ણ બળી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડે કોઈક રીતે આગને કાબુમાં લીધી હતી. એસપી દેહત કમલેશ બહાદુરે જણાવ્યું કે કારમાં એક બાળક સહિત પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા અને તે તમામના જીવતા સળગી જવાને કારણે મોત થયા છે. હજુ સુધી કોઈની ઓળખ થઈ નથી. હાલ મોબાઈલ ફોન, દસ્તાવેજો અને અન્ય માધ્યમથી મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કાર પ્રહલાદપુર બાંગર ગામ લોનીના રહેવાસી જયપ્રકાશના પુત્ર સોહનપાલના નામે નોંધાયેલ છે. ઘટનાની તપાસ માટે ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે. એસપી દેહત કમલેશ બહાદુર અને સીઓ સરધના પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસાનો ભય? આ તારીખ સુધી કેન્દ્રીય દળો તૈનાત રહેશે
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર શરૂ, સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા
આ પણ વાંચો:મધ્યપ્રદેશના રાજગઢમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી જતા સર્જાયો ભયાનક અકસ્માત, 13 લોકોના મોત