@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર રાજસીતાપુર હાઈવે પર ઘઉં ભરોલો ટ્રક ભડભડ સળગી ઉઠતા અફરા તફરી મચી જવા પામી હતી. ટ્રકમાં આગ લાગી હોવાની સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી ટીમ ભારે જહેમત બાદ ટ્રક પર લાગેલી આગને કાબુમાં લેવાઈ હતી. આ ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાની ટળી હતી.
વેક્સિનેશન / વિદેશ ભણવા જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ કોવીશીલ્ડનો બીજો ડોઝ પહેલા ડોઝના ૨૮ દિવસ બાદ લઇ શકશે
સુરેન્દ્રનગર રાજસીતાપુર હાઈવે પર રાત્રે 3 વાગ્યાનાં સુમારે અંધારામાં ઘઉં ભરોલો ટ્રક ભડભડ સળગી ઉઠતા અફરા તફરી મચી જવા પામી હતી. ટ્રકમાં આગ લાગી હોવાની સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી ટીમ ભારે જહેમત બાદ ટ્રક પર લાગેલી આગને કાબુમાં લેવાઈ હતી.
શું આ જ આપણું ન્યૂ નોર્મલ છે? / જોઈએ છે એવો વર કે જેણે કોવિશિલ્ડ વેકસીન લીધી હોય : યુવતીએ આપેલી જાહેરાત સોશિયલ મીડિયામાં વાયરલ
સુરેન્દ્રનગર ફાયર ફાયટરો સમય સુચકતાની સાથે ઘટના સ્થળે પહોંચી યુદ્ધનાં ધોરણે કાર્યવાહી હાથ ધરાતા મોટી દુર્ઘટના ટળી અને સદનસીબે કોઈ જાનહાની થઇ ન હોવાથી લોકોએ રાહત મેળવી હતી. આગ કેટલી ભયાનક લાગી હશે તેનો અંદાજો તમે એ વાતથી પણ લગાવી શકો છો કે આ આગને 1 કિલો મીટર દૂરથી પણ જોઇ શકાતી હતી. જો કે રાહતનાં સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.