વેપારીઓ/ સુરતના કાપડ વેપારીઓ માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવશે

સુરતના વેપારીઓ માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવશે

Gujarat
kapad સુરતના કાપડ વેપારીઓ માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવશે

ટેક્સ સંબધિત અનેક સમસ્યાઓ ઉધભવે છે જીએસટી આવ્યા બાદ ટેક્સ મામલે ઘણી સમસ્યા ઉદભવે છે તેેને ધ્યાનમાં રાખીને સુરત મર્કન્ટાઇલ એસોસિએશન દ્વારા  માર્કેટમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવશે આ હેલ્પ ડેસ્ક કાપડના વેપારીઓને ટેક્સ સહિત વિવિધ પ્રશ્ને મદદ મળી શકશે. કાપડના વેપારીઓના પ્રશ્નો ઝડપથી નિરાકણ આવે તે માટે સુરત મર્કન્ટાઇલ એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરમાં કાપડ વેપારીઓની મદદ માટે સુરત મર્કન્ટાઇલ એસોસિએશન દ્વારા અલગ-અલગ ચાર માર્કેટમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવશે. આ હેલ્પ ડેસ્ક 365 દિવસ અને 24 કલાક કાર્યરત રહેશે અને  કાપડના વેપારીઓને ટેક્સ સહિત વિવિધ પ્રશ્ને મદદ મળી શકશે.કાપડના વેપારીઓના પ્રશ્નોનો ઝડપથી નિરાકરણ આવે તે માટે સુરત મર્કન્ટાઇલ એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હાલ મિલેનિયમ માર્કેટ, મિલેનિયમ માર્કેટ 2, ન્યુ ટેક્સટાઇલ માર્કેટ અને રઘુકુલ માર્કેટમાં હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે.મર્કન્ટાઇલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુએ જણાવ્યું હતું કે, વેપારીઓને પોતાની સમસ્યાનું તરત જ સમાધાન મળતું નથી. એમને મદદ કરી શકાય તે માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેના આધારે વેપારીઓ મુંઝાતા અટકી જશે અને તેમનું કામ પણ થશે

વેપારીઓને કોઈ જીએસટીનો પ્રશ્ન, કોઈને ઇન્કમટેક્સ, એમએસએમઇ, ટ્રાન્સપોર્ટનો, કોઈનો પેમેન્ટ ડ્યુ છે અથવા તો કોઈને સિવિલ મેટરમાં મદદની જરૂર હોય તો હેલ્પ ડેસ્ક મદદ કરશે. એસોસિએશનના લીગલ એડવાઈઝર આ હેલ્પ ડેસ્ક મદદ કરશે. તમામ સલાહસૂચન વિનામૂલ્યે આપવામાં આવશે. જેના માટે મર્કન્ટાઇલ એસોસિએશન દ્વારા અલગ-અલગ કમિટીઓ તૈયાર કરવામાં આવી છે.