Morbi News: મોરબીના મચ્છુ 3 ડેમમાં ઝંપલાવી યુવકે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં દિનેશ આહિર, રાજુ બોરીયા, લાલાભાઈ શનાળાનું નામ ખુલતા તેમની વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. રવિ ગોધવિયા નામના મૃતક પાસેથી 6 લાખના રૂપિયા 1.50 કરોડ વસૂલતા યુવકે પગલું ભર્યું હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
મોરબી શહેરમાં મચ્છુ 3 ડેમમાં યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાની સ્થાનિકોને જાણ થતાં પોલીસને જાણ કરી હતી. મોરબી તાલુકા પોલીસ બનાવના સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. મૃતકની ઓળખ કર્યા બાદ પોલીસે ત્રણ વ્યાજખોરોની તપાસ શરૂ કરી હતી.
જેમાં દિનેશ આહિર, રાજુ બોરીયા, લાલાભાઈ શનાળાનું નામ ખુલતા તેમની વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. મૃતક પાસેથી 6 લાખના રૂપિયા 1.50 કરોડ વસૂલતા યુવકે પગલું ભર્યું હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસે કડક કાર્યવાહી કરતા માલૂમ પડ્યું કે મૃતક વકે પૈસાની ચૂકવણી કરી હતી તેમ છતાં ઉઘરાણી ચાલુ રાખી ચેક બાઉન્સ કરાવતા હતા. મૃતકે આર્થિક સંકડામણમાં આવી આત્મહત્યા કરી હતી.
આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદીએ દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઈવિંગ કર્યું, જુઓ Photos
આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યુ
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી પહેલા ઈલેક્શન કમિશને આપી મહત્વની સૂચના