- ગાંધીધામના કાર્ગો પાસે ગંભીર અકસ્માત
- ટ્રક અને રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત
- અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત
- JCBની મદદથી ટ્રક નીચેથી કઢાઇ રીક્ષા
ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. મહીસાગર બાદ હવે કચ્છના ગાંધીધામના કાર્ગો પાસે ગંભીર અકસ્માતની ઘટના ઘટી છે.કાર્ગો નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમા ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યા છે.રીક્ષાને પણ JCBની મદદ દ્વારા ટ્રક નીચેથી કાઢવામા આવી હતી.જો કે, ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો : જામનગર ગયેલા જાનૈયાઓને નાક નડ્યું અને લગ્નમાં પડ્યો લોચો
આપને જણાવી દઈએ કે ગઇકાલે એટલે કે રવિવારે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામ પાસે આજે ST બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના 3 યુવાનોના મોત થયા હતા. અમદાવાદ ઝાલોદ બસના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી.
સંતરામપુર તાલુકાના વાજીયાકોટના ડેમલી ફળિયામાં રહેતા બે સગાભાઇ અજય લાલસિંગ ખરાડી જયદીપ લાલસિંગ ખરાડી અને વિકાસભાઈ સોમાભાઈ ખરાડી આજે ઘરેથી હીરાપુર ગામ તરફ જવા નીકળ્યા હતા. તે સમયે હીરાપુર ગામ પાસે ઝાલોદ-અમદાવાદ ST બસ અને બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણેય યુવાનોના મોત થયા હતા. સંતરામપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો :ત્રણ વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ 20 માછીમારો આજે પહોંચશે માદરે વતન
આ પણ વાંચો :રાજકોટમાં લગ્નના દાંડિયારાસમાં વારરાજાનું માતાનું મોત, મંગળ ઘડી ફેરવાઇ અમંગળમાં
આ પણ વાંચો :રાજકોટમાં બ્રિજના પિલરનો સપોર્ટનો ભાગ તૂટ્યો, 2 લોકો ગંભીર ઇજાગ્રસ્ત
આ પણ વાંચો :જુહાપુરામાં કાતીલ હસીનાની પતિને ધમકી, આજે કાગળો સળગાવ્યા છે, હવે તને પણ…