રાજ્યમાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો એક પછી એક સતત અકસ્માતની ઘટનાઓ સામે અવી રહી છે. સાથે સાથે ખરાબ અને ખાડાવાળા રસ્તાઓને કારણે થતા અકસ્માતમાં અનેક માસૂમ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે વર્ષના માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના થરા-શિહોરી હાઈવે પર આવેલ માનપુર અંબાજી પાટિયા પાસે લક્ઝરી બસ પલ્ટી જતાં બે વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. સાતમાંથી ત્રણ લોકોને હાથ-પગમાં ફ્રેકચર થયા છે. તેમજ ચાર લોકોને સામાન્ય ઇજા થતાં સારવાર માટે શિહોરી ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો :ઊનાના વડલામાં મહીલાએ ગેસનો ચુલ્લો સળગાવતા ધરના પાંચ સભ્યો આગની લપેટમાં 3 ની હાલત ગંભીર
આપને જણાવી દઈએ કે,ડેઇલી સર્વિસ ટ્રાવેલ્સ લક્ઝરી બાપા સીતારામ સુરતથી ભાભર આવતા શિહોરી માનપુર રોડ પર અકસ્માત સર્જાયો હતો. શિહોરી 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શિહોરી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી વઘુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લક્ઝરી બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે એક તરફનો રસ્તો સાવ બ્લોક થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ પણ વાંચો : દારૂ પીવાની બાબતે યુવકની હત્યા, વાંચો હત્યા ક્યાં થઇ અને આરોપીઓ ક્યાંથી પકડાયા