Bollywood/ અમિતાભ બાદ હવે અજય દેવગને પણ ખરીદ્યો આલીશાન બંગલો, કિંમત છે 60 કરોડ રૂપિયા

થોડા સમય પહેલા જ બોલીવુડનાં શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચને 31 લાખનું ડુપ્લેક્ષ ખરીદ્યા બાદ હવે બોલીવુડનાં ફેમીલી મેન તરીકે જાણીતા અજય દેવગને પણ મુંબઈમાં પ્રોપર્ટી ખરીદી છે.

Trending Entertainment
A 4 અમિતાભ બાદ હવે અજય દેવગને પણ ખરીદ્યો આલીશાન બંગલો, કિંમત છે 60 કરોડ રૂપિયા

થોડા સમય પહેલા જ બોલીવુડનાં શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચને 31 લાખનું ડુપ્લેક્ષ ખરીદ્યા બાદ હવે બોલીવુડનાં ફેમીલી મેન તરીકે જાણીતા અજય દેવગને પણ મુંબઈમાં પ્રોપર્ટી ખરીદી છે. જુહુ વિસ્તારમાં અજયનાં વર્તમાન ઘર ‘શક્તિ’ની નજીકમાં જ અજય અને કાજોલે શાનદાર બંગલો ખરીદ્યો છે. અજય દેવગનનો આ બંગલો 590 યાર્ડ એટલે કે 5310 સ્ક્વેરફૂટમાં ફેલાયેલો છે. અજય અને કાજોલના આ બંગલો તેમના જૂના ઘરની નજીક જ છે. અજય દેવગણ હાલ કપોલે કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલા બંગલા ‘શક્તિ’માં રહે છે.

આ સિતારાના બન્યા પાડોશી 

અજય દેવગનના પ્રવક્તાએ નવા બંગલાની ખરીદીની પુષ્ઠિ કરી છે. આ બંગલો તે જ લેનમાં છે, જ્યાં અજય હાલ રહે છે. જો કે, પ્રવક્તાએ બંગલાની કિંમતને લઈને કોઇ માહિતી નથી આપી. પણ રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આની કિંમત 60 કરોડ રૂપિયા છે. અજય દેવગને અજય દેવગને જ્યાં આ નવો બંગલો ખરીદ્યો છે, ત્યાં નજીક જ હ્રિતિક રોશન, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને અક્ષય કુમારનો પણ રહેણાંક છે.

83099474 અમિતાભ બાદ હવે અજય દેવગને પણ ખરીદ્યો આલીશાન બંગલો, કિંમત છે 60 કરોડ રૂપિયા

આ પણ વાંચો :જેકી ભગનાની સહિત 9 લોકો પર દુષ્કર્મ અને જાતીય શોષણની ફરિયાદ

અજય દેવગણે ખરીદેલો આ બંગલો પહેલા સ્વર્ગીય પુષ્પા વાલિયાનાં નામે હતો. અજય દેવગણે કાપોલેવાળા બંગલો વીણા વિરેન્દ્ર દેવગણ અને વિશાલ દેવગણનાં નામે હતો. વિશાલ એ અજયનું અસલી નામ છે. મળતી માહિતી મુજબ, અજયે પોતાનાં નવા બંગલોમાં રિનોવેશનનું કામ પણ શરુ કરાવી દીધું છે ત્યારે અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, જ્હાનવી કપુર અને હ્રિતિક રોશનની સાથે હવે અજય દેવગનનું નામ પણ કોરોના મહામારીમાં નવી પ્રોપર્ટી ખરીદનાર સેલીબ્રીટીની યાદીમાં સામેલ થઈ ગયું છે.

ગત વર્ષે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં આ ડીલ ફાઈનલ થઈ હતી. કાપોલે કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીએ આ બંગલો વીણા વિરેન્દ્ર દેવગણ અને વિશાલ ઉર્ફે અજય દેવગણના જોઈન્ટ નામે 7 મેના રોજ ટ્રાન્સફર કર્યો હતો. આ બંગલો અગાઉ સ્વર્ગવાસી પુષ્પા વાલિયાના નામે હતો. રિયલ એસ્ટેટના સૂત્રોનું માનીએ તો, આ બંગલાની હાલની કિંમત 65થી 70 કરોડની આસપાસ છે પરંતુ મહામારીના કારણે અજય દેવગણે ડિસ્કાઉન્ટ રેટ પર ખરીદ્યો હોઈ શકે છે.

સૂત્રોના કહેવા અનુસાર, દેવગણ પરિવારે આ બંગલાનું પઝેશન લઈ લીધું અને રિનોવેશનનું કામ પણ શરૂ કરાવી દીધું છે કારણકે અજય હાલના બંગલાને ફરી બનાવા માગે છે.

આ પણ વાંચો :બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલાએ 5G ટેકનોલોજી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આ બંગલો ઓછામાં ઓછા 65-70 કરોડ રૂપિયાની છે, પણ મહામારીને કારણે કિંમતોમાં ઘટાડો થયો છે, આથી અજય દેવગનને ડિસ્કાઉન્ટ રેટ પર 60 કરોડ રૂપિયામાં આની ખરીદી કરી છે. આની સાથે જ મુંબઇમાં મહામારીને જોતાં સ્ટૅમ્પ ડ્યૂટીમાં પણ છૂટ આપવામાં આવી છે. આનો ફાયદો પણ અજય દેવગનને આ ડીલમાં થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે દેવગન પરિવારે બંગલાનું પઝેશન લઈ લીધું છે અને આમાં રેનોવેશનનું કામ પણ શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો :માધુરી દીક્ષિતનો મોટો દીકરો અરિન થયો ગ્રેજ્યુએટ, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

kalmukho str 28 અમિતાભ બાદ હવે અજય દેવગને પણ ખરીદ્યો આલીશાન બંગલો, કિંમત છે 60 કરોડ રૂપિયા