નવી દિલ્હીઃ વિધાનસભાચૂંટણીની હાલની પ્રક્રિયા સમાપ્ત કરવા માટે કેન્દ્ર સરકાર સંભવત ત્રણ તલાક પ્રતિબંધિત કરવાના સબંધમાં મહત્વનો નિર્ણય લઇ શકે છે. આનો સંકેત આપતા કેન્દ્રીય કાયદા મંત્રી રવિ શંકર પ્રસાદે સપા, કૉંગ્રેસ અને બસપાને વિવાદીત મુદ્દા પર પોતાનો પક્ષ રજૂ કવા માટે જણાવ્યું હતું. પ્રસાદે એ વાત પર જોર આપ્યું હતું કે, આ મુદ્દો કોઇ ધર્મ કે, આસ્થા સાથે નહિ પણ મહિલાઓના સમ્માન સાથે જોડાયેલો છે. તેમણે જણાવ્યું હતું કે, અમે આસ્થાનું સમ્માન કરીએ છીએ પરંતુ ઉપાસના પદ્ધતિ અને કુપ્રથા એક સાથે ના ચાલી શકે.
તેમણે કહ્યુ હતું કે, એક સાથે ત્રણ વાર તલાક કહેવાની આ કુપ્રથા મહિલાઓ પાસેથી તેમનું સમ્માન છીનવી લે છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર આ કુપ્રથાને સમાપ્ત કરવા માટે પ્રતિબધ છે. ગાજીયાબાદ માં શિનવારે પત્રકાર પરિષદને સંબનોધન કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતુ કે, ઉત્તર પર્દેશ વિધાનસભા ચૂંટણી બાદ સરકાર ત્રણ તલાક પ્રતિબંધિત કરવાની દિશામાં મહત્વનો પગલુ લઇ શકે છે. ઉત્તર પ્રદેશ ચાર રાજ્યોમાં ચાલી રહેલા વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા 11 માર્ચે પરિણામ આવ્યા બાદ સમાપ્ત થઇ જશે.