IPL 2022 તેના છેલ્લા તબક્કામાં રમાઈ રહી છે. IPL બાદ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. ટી-20 વર્લ્ડ કપની દૃષ્ટિએ આ પ્રવાસ ઘણો મહત્વનો છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ઘણું સારું પ્રદર્શન કરી રહી છે.IPL બાદ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. ભારતીય ટીમ આ પ્રવાસમાં પાંચ T20 મેચ અને ત્રણ ODI મેચ રમશે. આ મેચો ત્રિનિદાદ અને સેન્ટ કિટ્સના સ્ટેડિયમમાં યોજાશે. 50 ઓવરની મેચો 22, 24 અને 27 જુલાઈએ ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે યોજાશે.
પાંચ મેચોની T20I શ્રેણીની પ્રથમ T20I 29 જુલાઈએ બ્રાયન ચાર્લ્સ લારા સ્ટેડિયમમાં રમાશે. આગામી બે મેચ 1 અને 2 ઓગસ્ટના રોજ સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના વોર્નર પાર્ક ખાતે યોજાશે. ખાસ વાત એ છે કે શ્રેણીની છેલ્લી બે મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાશે.
વેસ્ટ ઈન્ડિઝ ટીમના કિરોન પોલાર્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, જેના કારણે તેના સ્થાને સ્ટાર વિકેટકીપર નિકોલર પૂરનને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ભારતે અમેરિકામાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે રમાયેલી છેલ્લી ત્રણ શ્રેણી રમી છે. વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી પહેલા ભારતીય ટીમ આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી રમશે.