સુરતમાં સતત ગુનાખોરી વકરી રહી છે. જેમાં સૌથી વધુ હત્યાની ઘટના સામે આવી રહી છે. સુરતના ઉધના વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા આરોપીઓએ યુવકની હત્યા કરીને તેના મૃતેદહને ભેંદવાડની ખાડીમાં ફેકી દીધો હતો. આ હત્યાને અંજામ પણ ભાવસીંગ ગેંગના સભ્યોએ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :અમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી GST કૌભાંડનો આરોપી નીરજ આર્યા ફરાર
આ મામલે મમળતી માહિતી અનુસાર, શહેરના ઉધના વિસ્તારમાં આ હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા પપિયા નામના યુવકની હત્યા થઈ છે. આરોપીઓએ શા માટે હત્યાને અંજામ આપ્યો તે મામલે હજું કોઈ માહિતી સામે આવી નથી આવીય પરંતુ એવી માહિતી સામે આવી છે કે આ હત્યાને અંજામ ભાવસીંગ ગેંગના શખ્સો દ્વારા આપવામાં આવ્યો છે.
આ હત્યા કેસમાં ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધીને બે હત્યારાઓને દબોચી લઈ પૂછપરછ શરૂ કરી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે પપ્પુ નામના યુવકની લાકડાના ફટકા મારી હત્યા કરવામાં આવી છે. શનિવારે રાત્રે 9 વાગ્યે બનેલી આ ઘટનામાં પોલીસે આરોપી મોહનસીંગ અને કાલુસીંગને પકડી પાડયા છે. થોડા મહિના પહેલા માથાભારે રાહુલ એપાર્ટમેન્ટ અને તેના સાગરિતોએ એક ચીકલીગરની હત્યા કરી હતી. જેનો બદલો લેવા માટે પપ્પુ નામના યુવકની હત્યા કરી હોવાની વાત આશંકા પોલીસને લાગી રહી છે. વિજયનગર યુવકની હત્યા બાબતે ઉધના પીઆઇનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે ફોન રિસિવ કર્યો ન હતો.
આ પણ વાંચો :અગરિયાઓના નામે ખરીદાયેલી સોલારો વાડીઓમાં ધમધમી રહી છે
ઉલ્લેખનીય છે કે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીઓની તપાસ આરંભી છે. જોકે હાલ આરોપીઓ ગુનાને અંજામ આપીને ફરાર થઈ ગયા છે. પરંતુ સુરતમાં વધતી જતી ગુનાખોરી હવે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે. સાથેજ વધતા જતા હત્યાના બનાવોને લઈને હવે કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે પણ અહીયા સવાલ ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો : હજારીગરની ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ, પાણી અને ખાતરનો ખર્ચ થાય છે ઓછો
આ પણ વાંચો :કોરોનાના નવા વેરીએંટ ઓમિક્રોનની દહેશત વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022 યોજાશે ..?
આ પણ વાંચો : આરોગ્ય ટીમ દ્વારાયાજ્ઞિક રોડ પર ખાણી-પીણીની 14 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું