New Delhi : મસાલામાં કીટકનાશક એથિલીન ઓક્સાઈડની અધિક માત્રાનો આરોપ લગાવતા સિંગાપુરે પોતાના બજારમાંથી આ ઉત્પાદનને પરત મંગાવી લીધું છે. આ પગલુ હોંગકોંગમાં ખાદ્ય સુરક્ષા કેન્દ્ર તરફથી ઈશ્યુ કરેયલી અધિસુચના બાદ ઉઠવાયું હતું. જેમાં મસાલામાં એથેલિન ઓક્સાઈડ અધિક માક્ત્રામાં હોવાનું જણાવાયું છે.સિંગાપુરે ભારતથી આત કરાયેલા લોકપ્રિય ઉત્પાદન એવરેસ્ટ ફીશ કરી મસાલાને બજારમાંથી પરત લેવાનું એલાન કર્યું છે. મસાલામાં કીટનાશક એથેલિન ઓકાસાઈડની વધુ માત્રાનો આરોપ લગાવીને તેને પરત લેવાઈ છે. એથેલિન ઓક્સાઈડ ખાસ કરીને કીટનાશકના રૂપમાં ઉપયોગ કરાય છે. તે ખાદ્ય ઉત્પાદનોમાં ઉપયોગ માટે સખત પણે વર્જીત છે. એસએફએ કહ્યું હતું કે સિંગાપુરના નિયમો અંતર્ગત મસાલાની સેલઉ લાઈફ બનાવવા માટે તેના સ્વીકાર્ય પ્રયોગની અનુમતિ છે પરંતુ એવરેસ્ટ ફીશ કરી મસાલામાં તેની અધિક માત્રા ઉપભોક્તા માટે સંભવિત સ્વાસ્થય જોખમ પેદા કરે છે.જોકે એવરેસ્ટે હજીસુધી આ પ્રકરણ સંદર્ભે પોતાનું કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.
આ પણ વાંચો:પૂર્વમાં ટીડીઓના મેળાપીપણામાં ગેરકાયદે બાંધકામોનો રાફડો
આ પણ વાંચો:બેંક મેનેજરે બેંક સાથે કરી છેતરપિંડી, 15 કરોડનો દંડ અને સાત વર્ષની કેદ
આ પણ વાંચો:ક્રાઇમ કેપિટલ સુરતમાં ઓનલાઇન ટાસ્કના નામે 12 લાખનો ફ્રોડ
આ પણ વાંચો:ગીર સોમનાથમાં શિક્ષિકાનું અમાનવીય વર્તન, બાળકીને હોસ્પિટલાઇઝ કરવી પડી