Not Set/ નીતુ ચંદ્રા બાદ મનોજ તિવારીએ બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને લગાવી ફટકાર, જાણો શું છે કારણ ?

બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની મુશ્કેલીમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. બીગ બોસના શોમાં ભોજપુરી ભાષાનો મજાક ઉડાવ્યા બાદ બોલીવુડ અભિનેતાના વિવાદમાં વધુ ફસાઈ ગયો છે. નીતુ ચંદ્રા બાદ સુપરસ્ટાર અને બીજેપી નેતા મનોજ તિવારીએ આ બાબતે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફટકાર લગાવી છે. મનોજ તિવારીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે, હું એક એક્ટરના આ પ્રકારનું વચન […]

Entertainment
siddddd 5a6ac4590f319 નીતુ ચંદ્રા બાદ મનોજ તિવારીએ બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને લગાવી ફટકાર, જાણો શું છે કારણ ?

બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની મુશ્કેલીમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. બીગ બોસના શોમાં ભોજપુરી ભાષાનો મજાક ઉડાવ્યા બાદ બોલીવુડ અભિનેતાના વિવાદમાં વધુ ફસાઈ ગયો છે. નીતુ ચંદ્રા બાદ સુપરસ્ટાર અને બીજેપી નેતા મનોજ તિવારીએ આ બાબતે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફટકાર લગાવી છે.

મનોજ તિવારીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે, હું એક એક્ટરના આ પ્રકારનું વચન સાંભળ્યા બાદ હેરાન થયો છુ. ૨૨ કરોડ લોકોની ભાષા વિશે આ પ્રકારે વાત કરવી એ અપમાનજનક છે. અને આ તેઓનું અપમાન છે. હું આ વાતનું ખંડન કરું છુ કે, અમે બધી ભાષાઓનું સન્માન કરવું જોઈએ.   મનોજ તિવારીએ વધુમાં જણાવ્યું, સિદ્ધાર્થ બધાને દુ:ખી કર્યા છે. તે માટે લોકો તેમને માફ નહિ કરે અને આ મામલે સિદ્ધાર્થની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે. પટણા,બનારસ,કોલકાતા અને મુંબઈથી ઘણા લોકો સિદ્ધાર્થ સામે કેસ દાખલ કરશે.

ઉલ્લેખનીય છે કે, પોતાની આગામી સમયમાં આવનારી ફિલ્મ અય્યારીના પ્રમોશન માટે સિદ્ધાર્થ મલ્હોત્રા અને અય્યારીની પૂરી ટીમ ટીવી શો બીગ બોસ ૧૧મ ગઈ હતી. જ્યાં સલમાન ખાને મનોજ વાજપેયીને સિદ્ધાર્થને ભોજપુરી ભાષામાં ડાયલોગ બોલવવા માટે કહ્યું હતું તેથી તેઓએ ડાયલોગ બોલ્યો હતો. પરંતુ ત્યારબાદ સિદ્ધાર્થે આ કહ્યું કે, ડાયલોગ બોલવામાં તેણે ટોયલેટ જેવું ફીલિંગ થયું. ત્યારબાદ આ વાતને લઇ સિદ્ધાર્થ મલ્હોત્રાની મુશ્કેલીમાં વધારો થયો છે.